JNV, NMMS, PSE

TICKER

Advertisement

social science std-6 sem-2 exam material

સામાજિક વિજ્ઞાન ધોરણ-6 બીજા સત્રની પરીક્ષાનું મટેરીયલ બ્લુપ્રિન્ટ મુજબ

સ્થાનિક સરકાર ચાર્ટ ડાઉનલોડ કરો👉 ડાઉનલોડ

social science std-6 sem-2 exam material


પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિક્લ્પોમાંથી સાચો વિક્લ્પ શોધીને ઉત્તર લખો.

આ પ્રશ્ન માટે એકમ - 5 માટે ટચ કરો 👉 અહીં ક્લિક કરો


પ્રશ્ન 2. યોગ્ય શબ્દો વડે નીચેનાં વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો.


1. સારનાથનો વિશાળ સ્તંભ સમ્રાટ ………………. દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો.


2. તક્ષશિલાના આચાર્ય……………… કૌટિલ્ય ગોત્રના હતા.


3. નંદવંશના અંતિમ સમ્રાટ ……………..ને હરાવીને ચંદ્રગુપ્તે મગધની ગાદી સંભાળી. “


4. સૌરાષ્ટ્રમાં …………….. સુદર્શન તળાવ બંધાવ્યું હતું.


5. પાટલિપુત્રમાં રોકાણ દરમિયાન મૅગેસ્થનિસે ……………..  નામનો ગ્રંથ લખ્યો હતો.


6. ……………..  નો સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે.


7. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા સ્થાપવામાં આવેલું …………….. ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. 


8. વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ દિલ્લીથી …………….. સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે.


9. આચાર્ય વિષ્ણુગુપ્ત …………….. ના નામે ઓળખાય છે.


10. અશોકના મોટા ભાગના અભિલેખોની લિપિ …………….. છે.


11. સમ્રાટ અશોકે …………….. ધર્મ સ્વીકાર્યો હતો.


12. બૌદ્ધધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી …………….. અશોક બની ગયો.


13. અશોકના રાજ્યમાં ધર્મખાતાનો ઉપરી (અધિકારી) …………….. રહેતો.


14. મૌર્ય વહીવટીતંત્રમાં આહારનો અધિકારી …………….. કહેવાતો.


15. મૌર્ય પ્રાદેશિક વહીવટીતંત્રમાં પ્રદેશનો અધિકારી …………….. કહેવાતો.


16. ગુજરાતનો અશોકનો શિલાલેખ …………….. ભાષામાં લખાયેલ છે.


17. અશોકે પાટલિપુત્રમાં …………….. ના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ ધર્મપરિષદ બોલાવી હતી


18. અશોકે પુત્ર …………….. અને પુત્રી …………….. ને બૌદ્ધ- ધર્મના પ્રચાર માટે સિલોન (શ્રીલંકા) મોકલ્યાં   હતાં.


19. અશોકે …………….. ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો.


20. ચંદ્રગુપ્તના વહીવટીતંત્રના મુખ્યમંત્રી …………….. હતા.


ઉત્તર : 1. અશોક  2. વિષ્ણુગુપ્ત 3. ધનનંદ 4. પુષ્યગુપ્તે 5. 'ઈન્ડિકા’ 6. સારનાથ 7. મૌર્ય સામ્રાજ્ય 8. કોલકાતા 9. ચાણક્ય 10. બ્રાહ્મી 11. બૌદ્ધ 12. ધર્માનુરાગી 13. ધમ્મ મહામાત્ર 14. રાજુક 15. પ્રાદેશિક 16. પ્રાકૃત 17. મોગલીપુત્ત તિષ્ય(તિસ્સા)  18. મહેન્દ્ર, સંઘમિત્રા  19. બૌદ્ધ 20. વિષ્ણુગુપ્ત (ચાણક્ય)


પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.


1. ઈસુની ત્રીજી સદીમાં મગધમાં ગુપ્તવંશની સ્થાપના થઈ હતી.

ખરું

2. ઘટોત્કચ ગુપ્તને ગુપ્તવંશનો સ્થાપક માનવામાં આવે છે.

ખોટું

3. ચંદ્રગુપ્ત પહેલો શ્રીગુપ્તનો અનુગામી રાજા હતો.

ખોટું

4. કુમારદેવી લિચ્છવી જાતિની કન્યા હતી.

ખરું

5. ગુપ્તસંવતની શરૂઆત થવાથી હિંદમાં કાળગણનાની ગોઠવણી શક્ય બની છે.

ખરું

6. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાને ‘કવિરાજ’નું બિરુદ મળ્યું હતું.

ખોટું

7. ગુપ્તયુગમાં ધીકતાં બંદરોના કારણે પ્રાદેશિક વેપાર ખૂબ વધ્યો હતો.

ખોટું

8.  સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત પહેલાનો પુત્ર હતો.

ખોટું

9. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાનું મૂળ નામ ‘દેવદત્ત’ હતું.

ખોટું

10. ગુપ્ત સમયમાં હિન્દી ભાષાને રાજભાષાનું સ્થાન મળ્યું હતું. આ

ખોટું

11. ચંદ્રગુપ્તના રાજદરબારમાં ગ્રીક એલચી મૅગેનિસ આવ્યો હતો.

ખોટું

12. ગુપ્ત શાસનમાં રાજ્યના દસ્તાવેજો સાચવવા પુસ્તપાલની નિમણૂક કરવામાં આવતી.

ખરું

13. ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ મહારાજાધિરાજ અને પરમ ભાગવત જેવાં બિરુદો ધરાવતા હતા.

ખરું

14. ગુપ્તયુગમાં બૌદ્ધધર્મના મહાયાન અને લઘુયાન એમ બે પંથ વિકસ્યા હતા.

ખોટું

15. હર્ષવર્ધનના પિતાનું નામ રાજ્યવર્ધન હતું.

ખોટું

16. વલભીના મૈત્રક રાજા ધ્રુવસેન હર્ષવર્ધનના જમાઈ હતા.

ખરું

17. પુલકેશી બીજાએ બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી પૂજા કરીને સ્થાપિત કરી હતી.

ખોટું

18. ઈરાનના શહેનશાહ ખુશરો બીજા પુલકેશી બીજાના મિત્ર હતા.

ખરું

6. નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે, યોગ્ય સ્થાને દર્શાવોઃ (નકશાપૂર્તિ)

1. રણ પ્રદેશ :- ભારતીય મહામરુસ્થલ , કચ્છનું રણ

2. મેદાન પ્રદેશ:- ગંગાનું મેદાન 

3. પર્વતો :- હિમાલય , પૂર્વ ઘાટ , પશ્ચિમ ઘાટ , ગારા, ખાસી, નાગા, પતકોઈ, અરવલ્લી, વિંધ્ય, સાતપુડા, નીલગીરિ

4. દરિયા કિનારાના મેદાનો :-  પૂર્વ કિનારાનું મેદાન, પશ્ચિમ કિનારાનું મેદાન 

5. ટાપુ :- અંદમાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ 

6. સાગર અને મહાસાગર:-  અરબ સાગર ,બંગાળાનો ઉપસાગર , હિંદ મહાસાગર 

7. પાડોસી દેશો:- (પાકિસ્તાન, નેપાળ, ભુતાન, ચીન, મ્યાનમાર (બર્મા) , બાંગ્લાદેશ, શ્રીલંકા), 

8. નદીઓ:-  ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, નર્મદા, તાપી,  મહા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, 
સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલજ, ચંંબલ, બેતવા, સોણ, કોસી, સાબરમતી, મહી

સામાજિક વિજ્ઞાન નકશાપૂર્તિ ધોરણ-૬





6. રૂઢ સંજ્ઞા દોરો / ઓળખો.

નકશાની રૂઢ સંજ્ઞાઓ







map colour symboll















8. બંધબેસતાં જોડકાં જોડો :
1.

વિભાગ  ‘અ’વિભાગ ‘બ’
(1) સરપંચ(a) જિલ્લા પંચાયત વહીવટી વડા 
(2) તલાટી-કમ-મંત્રી(b) મહાનગરપાલિકા
(3) તાલુકા વિકાસ અધિકારી(c) ગ્રામપંચાયતના વહીવટી વડા 
(4) જિલ્લા વિકાસ અધિકારી(d) ગ્રામપંચાયતના વડા   

(e) તાલુકા પંચાયત


 

ઉત્તર: 1-d , 2-c,  3-e, 4-a


2.

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
(1) નગરપાલિકાના વડા(a) મ્યુનિસિપલ કમિશનર
(2) નગરપાલિકાના વહીવટી વડા(b) મેયર 
(3) મહાનગરપાલિકાના વહીવટી વડા(c) નગરપ્રમુખ(નગરપતિ)
(4) મહાનગરપાલિકાના વડા(d) પ્રમુખ 
(e) ચીફ ઑફિસર 
ઉત્તર: 1-c, 2-e, 3-a, 4-b



3.

વિભાગ  ‘અ’વિભાગ ‘બ’
(1) જિલ્લા પંચાયત વડા (a) કલેક્ટર 
(2) તાલુકા પંચાયત વડા (b) મેયર
(3) તાલુકા વહીવટી અધિકારી(c) જિલ્લા પ્રમુખ
(4) જિલ્લા વહીવટી અધિકારી(d) મામલતદાર  

(e) તાલુકા પ્રમુખ


ઉત્તર: 1-c , 2-e,  3-d, 4-a


                              👌new info guru👌                                      


પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોનો બે કે ત્રણ વાક્યમાં જવાબ આપો.

1. પ્રાચીન ભારતની કલા વિશે જણાવો.


ઉત્તરઃ  પ્રાચીન ભારતની કલાને ઇતિહાસકારો બે ભાગમાં વહેચે છેઃ

    1.     લલિતકલા 

    2.     નિદર્શનકલા. 


     લલિતકલામાં ચિત્રસાહિત્યસ્થાપત્યસંગીતમાટીકલા વગેરેનો સમાવેશ થાય છે

     

    નિદર્શનકલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ – થાય છે.


2. બૌદ્ધધર્મ અને જૈન ધર્મના મહાન ગ્રંથો જણાવો.

ઉત્તર:     બૌદ્ધધર્મના મૂળ ગ્રંથોને ‘ત્રિપિટ્ટક’ કહેવામાં આવે છે. જૈનધર્મના ગ્રંથોને ‘આગમગ્રંથો’                કહેવામાં આવે છે.

             બૌદ્ધધર્મના ગ્રંથોઃ ‘સૂર(સૂત્ર)પિટ્ટક’, ‘વિનયપિટ્ટક’, ‘અભિધમ્મ-પિટ્ટક’, ‘દિનિકાય’,                  ‘અંગુત્તરનિકાય’, ‘મસ્જિમનિકાય’, ‘જાતકકથાઓ’, ‘મિલિન્દ પાન્ડો’ વગેરે.

             જૈનધર્મના ગ્રંથોઃ જૈનધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. આ              ધર્મના મુખ્ય ગ્રંથોમાં ‘આગમો’, ‘આચારસંગ’ અને ‘વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર’નો સમાવેશ              થાય છે.


3. પ્રાચીન સમયના વેપાર અને નવા માર્ગો વિશે જણાવો.

ઉત્તર:       પ્રાચીન સમયમાં ભારત વિદેશો સાથે વેપાર-વાણિજ્યમાં મોખરે હતું. એ સમયમાં દેશ-           વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો. મરીમસાલામણકાકીમતી              પથ્થરોસુતરાઉ કાપડરેશમી કાપડતેજાના અને ઇમારતી લાકડાની ભારતમાંથી નિકાસ થતી          હતીજ્યારે સોના અને ચાંદીની દેશમાં આયાત થતી હતી.

               પ્રાચીન ભારતનો વેપાર સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી થતો હતો. ખંભાત,            ભરૂચસોપારા અને તામ્રલિપ્તિ જેવાં આંતરરાષ્ટ્રીય બંદરોથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં          દરિયાઈ માર્ગે વેપાર થતો હતો. ચીનના કેટલાક લોકો જે માર્ગે રેશમી કાપડ સાથે લઈને                    પગપાળા કે પશુઓ સાથે વેપાર કરતા તે માર્ગ રેશમ માર્ગ (Silk route) તરીકે જાણીતો                બન્યો  હતો.

 4. પ્રાચીન ભારતની ચિત્રકલા વિશે જણાવો.

ઉત્તર:        ભારતમાં સૌથી જૂનાં 500 કરતાં વધારે આદિમાનવનાં ચિત્રો મધ્ય પ્રદેશના                        ભીમબેટકામાંથી મળી આવ્યાં છે. આ સિવાયઆ અજંતા-ઈલોરાનીઅમરાવતીની અને                બાઘની ગુફાઓમાંથી મોટી સંખ્યામાં ચિત્રો મળી આવ્યાં છે. અજંતા-ઈલોરાનાં જગવિખ્યાત            ચિત્રોમાં બુદ્ધની જાતકકથાઓને અને બુદ્ધની સાધનાને વ્યક્ત કરવામાં આવી છે. પદ્મપાણિનું          વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે.

5. નીચે આપેલા ગ્રંથોને જૈનબૌદ્ધ અને સંગમ સાહિત્યમાં વર્ગીકરણ કરો:
(1) ત્રિપિટ્ટક
(2) દિઘનિકાય
(3) આચારસંગ
(4) આગમ
(5) મિલિન્દ પાહો
(6) વૈતાલિક દશાવતાલિક સૂત્ર
(7) શિલપ્પદિકારમ્
(8) અંગુત્તરનિકાય
(9) મણિમેખલાઈ


ઉત્તર:

બૌદ્ધગ્રંથો

જૈનગ્રંથો

સંગમ સાહિત્ય

(1) ત્રિપિટ્ટક

(1) આચારસંગ

(1) શિલપ્પદિકાર

(2) દિઘનિકાય

(2) આગમો

(2) મણિમેખલાઈ

(3) મિલિન્દ પાહો

(3) વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર

(4) અંગુત્તર-નિકાય


6. નીચે આપેલા ગ્રંથોને પુરાણોઉપનિષદો અને સ્મૃતિઓમાં વર્ગીકરણ કરો:
(1) વાયુપુરાણ
(2) માંડુક્ય
(3) ઈશાવાસ્યમ્
(4) મત્સ્યપુરાણ
(5) મનુસ્મૃતિ
(6) યાજ્ઞવક્યસ્મૃતિ
(7) કઠ
(8) મુંડક
(9) વિષ્ણુપુરાણ
(10) નારદસ્મૃતિ સૂત્ર

ઉત્તર:

પુરાણો

ઉપનિષદો

સ્મૃતિઓ

(1) વાયુપુરાણ

(1) માંડુક્ય

(1) મનુસ્મૃતિ

(2) મત્સ્યપુરાણ

(2) ઈશાવાસ્યમ્

(2) યાજ્ઞવાક્યસ્મૃતિ

(3) વિષ્ણુપુરાણ

(3) કઠ

(3) નારદસ્મૃતિ

(4) મુંડક

 

પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ-ચાર વાક્યોમાં આપોઃ

1. ભૂમિસ્વરૂપો એટલે શુંતેના પ્રકારો કયા કયા છે?

ઉત્તર:      

    ભૂ સપાટી ની ચોક્કસ ઊંચાઈઢોળાવ અને વિશિષ્ટ આકારને ભૂમિસ્વરૂપો કહે છે. ભૂમિસ્વરૂપોના સર્જનમાં ધરતીકંપજ્વાળામુખીસુનામી જેવાં ભૂગર્ભનાં પરિબળો તેમજ નદીપવનહિમનદીસમુદ્રના મોજાં જેવાં બાહ્ય પરિબળો ફાળો આપે છે.

ભૂમિસ્વરૂપોના પ્રકારો: (1) પર્વતો(2) ઉચ્ચપ્રદેશો  (3) મેદાનો.


2. પર્વતો એકબીજાથી અલગ કેમ દેખાય છે?

ઉત્તર:       

    પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવાં કુદરતી ભૌતિક બળોની                ક્રિયાપ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. આમપર્વતોના ઉદ્ભવ અને            વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ તથા બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો તેનાં          વિવિધ પાસાંઓના સંદર્ભમાં એકબીજાથી અલગ દેખાય છે.

3. પર્વત એટલે શું? પર્વત પ્રકારો કયા કયા છે?

ઉત્તર:      પર્વત : સમુદ્રસપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ              ઓછા કે તીવ્ર, ઢોળાવ અને સાંકડાં શિખરો ધરાવતાં વિસ્તારને “પર્વત' કહે છે.

        પર્વતોનું વર્ગીકરણ :    નિર્માણક્રિયાના આધારે પર્વતોને ચાર વિભાગમાં વહેંચવામાં                                  આવે છે :(1) ગેડ પર્વત (2) ખંડ પર્વત     
                               (3) જ્વાળામુખી પર્વત  
(4) અવશિષ્ટ પર્વત.  

4. ગેડ પર્વત એટલે શું? ગેડ પર્વતના ઉદાહરણ આપો? 

ગેડ પર્વત: મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતાં કરચલીઓ કે ગેડ પડે છે. તેના ઊર્ધ્વવળાંકને આપણે શિખર તરીકે અને અધોવળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે.

ઉદાહરણ: એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકિઝ અને દક્ષિણ અમેરિકામાં એડિઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે.

5. ખંડ  પર્વત એટલે શું? ખંડ  પર્વતના ઉદાહરણ આપો? 

ખંડ પર્વત : ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિસ્તરો પર ખેંચાણબળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય, વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડપર્વત અને નીચે બેસી જતાં ભાગમાં ફાટખીણ રચાય છે. જર્મનીનો હોર્સ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી ખંડ પર્વતને હોર્સ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. 

ઉદાહરણ:ભારતમાં આવેલા નિલગીરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત ખંડ પર્વતનાં ઉદાહરણો છે.

6. જ્વાળામુખી પર્વત એટલે શું? જ્વાળામુખી  પર્વતના ઉદાહરણ આપો? 

જ્વાળામુખી પર્વત: જ્વાળામુખી ફાટતાં પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતાં તે જ્વાળામુખી પર્વત બને છે.

ઉદાહરણ: ઈટાલીનો વિસુવિયસ, ઈક્વેડોરનો કોટોપક્સી, જાપાનનો ફ્યુજિયામા અને ભારતનો બેરન (અંદમાન), પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતનાં ઉદાહરણો છે.

7. અવશિષ્ટ પર્વત એટલે શું? અવશિષ્ટ પર્વતના ઉદાહરણ આપો? 

અવશિષ્ટ પર્વત: ઘસારાનાં કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિ ભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે તેને જ અવશિષ્ટ પર્વત કહે છે. 

ઉદાહરણ:ભારતમાં અરવલ્લી, નીલગીરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતનાં ઉદાહરણો છે.

8. ઉચ્ચપ્રદેશ એટલે શુંઉચ્ચપ્રદેશના પ્રકારો જણાવો.

ઉત્તર:        

     સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી વધુ પણ 900 મીટરથી ઓછી             ઊંચાઈ ધરાવતા અને ટોચ ઉપર પ્રમાણમાં ઉચ્ચપ્રદેશોનાં ભૌગોલિક સ્થાન અને               રચના ઉપરથી તેમના મુખ્ય ત્રણ પ્રકારો પડે છેઃ

(1)આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ,

(2)પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ અને

(3)ખંડીય ઉચ્ચપ્રદેશ


9.આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ એટલે શું? આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશના ઉદાહરણ આપો? 


    આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ: ચારેબાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિ ભાગને આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ કહેવામાં આવે છે. 


    ઉદાહરણ:તિબેટનો ઉચ્ચપ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચપ્રદેશ 


10.પર્વતપ્રાંતીય ઉચ્ચપ્રદેશ એટલે શું? પર્વતપ્રાંતીય ઉચ્ચપ્રદેશના ઉદાહરણ આપો? 


    પર્વતપ્રાંતીય ઉચ્ચપ્રદેશ: પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વતપ્રાંતીય ઉચ્ચપ્રદેશ કહેવામાં આવે છે. 

    

    ઉદાહરણ: પેન્ટાગોનિયા (દ. અમેરિકા) પીડમોન્ટ (યુ.એસ.) ભારતમાં માળવાનો ઉચ્ચપ્રદેશ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.


11.ખંડીય ઉચ્ચપ્રદેશ એટલે શું? ખંડીય ઉચ્ચપ્રદેશના ઉદાહરણ આપો? 


    ખંડીય ઉચ્ચપ્રદેશ : ભૂગર્ભિક હલનચલનથી ઉચકાયેલા ભૂમિ ભાગને કે મોટા ભૂમિ ભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચપ્રદેશનું નિર્માણ થાય છે. 


    ઉદાહરણ: ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચપ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચપ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચપ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, ઍન્ટાર્કટિકનો અરબસ્તાનનો ઉચ્ચપ્રદેશ તેનાં ઉદાહરણો છે.


12. મેદાનની રચના કેવી રીતે થાય છેસમજાવો.

ઉત્તર:      

    સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે          સપાટ ભૂમિભાગને ‘મેદાન’ કહેવામાં આવે છે. દુનિયાનાં મોટા ભાગનાં મેદાનો            નદીઓએ પાથરેલી માટી અને કાંપમાંથી બન્યાં છે. આ ઉપરાંતકેટલાંક મેદાનોની        રચના પવનજ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા થાય છે.

13. મેદાન એટલે શુંમેદાનના પ્રકારો જણાવો.

ઉત્તર:      

    સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે          સપાટ ભૂમિભાગને ‘મેદાન’ કહેવામાં આવે છે.

મેદાનોનું વર્ગીકરણ : નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય : (1) કિનારાનાં મેદાન (સંરચનાત્મક મેદાન) (2) ઘસારણનાં મેદાન (3) નિક્ષેપણનાં મેદાન.

14. કિનારાનાં મેદાન એટલે શું? કિનારાનાં મેદાનના ઉદાહરણ આપો? 

કિનારાનાં મેદાન: આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્રકિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્રકિનારા નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઊંચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહે છે. આવા મેદાન મોટેભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે. 

ઉદાહરણ: મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ-પૂર્વે આવેલ મેદાન,  ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન 

15. ઘસારણનાં મેદાન એટલે શું? ઘસારણનાં મેદાનના ઉદાહરણ આપો? 

ઘસારણનાં મેદાન : પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે, જેનાથી લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચપ્રદેશો નદી, પવન અને હિમનદી જેવાં પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી. નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે-વચ્ચે જોવા મળે છે. ઘસારણ દ્વારા બનેલ મેદાનોને “પેની પ્લેઈન' પણ કહે છે.

ઉદાહરણ: ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઈબીરિયાના મેદાન ઘસારણથી નિર્માણ પામ્યા છે. 

16. નિક્ષેપણનાં મેદાન એટલે શું? નિક્ષેપણનાં મેદાનના ઉદાહરણ આપો? 

નિક્ષેપણનાં મેદાન: નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત કે કાંપના મેદાન પણ કહેવામાં આવે છે. 

ઉદાહરણ: ભારતમાં ગંગા-યમુનાના મેદાન, ઉત્તર ચીનમાં હવાંગહોનું મેદાન, ઈટાલીમાં પૉ નદી દ્વારા બનેલ લોમ્બાર્ડીનું મેદાન કાંપના મેદાનનાં વિશિષ્ટ દૃષ્ટાંત છે. જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરમાં કાંપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને “સરોવરના મેદાન' કહે છે. કશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે.

7. ભારતના ભૂપૃષ્ઠના કેટલા વિભાગો પડે છે? કયા કયા?

ઉત્તરઃ

        ભૂપૃષ્ઠની દષ્ટિએ ભારતના પાંચ વિભાગો પડે છે:

  1. ઉત્તરનો પર્વતીય પ્રદેશ,
  2. ઉત્તરનો મેદાન પ્રદેશ,
  3. મધ્ય ભારત અને દક્ષિણ ભારતનો ઉચ્ચપ્રદેશ (દખ્ખણનો ઉચ્ચપ્રદેશ),
  4. દરિયાકિનારાનાં મેદાનો અને
  5. દ્વીપસમૂહો. 

8. હિમાલયની પર્વતમાળા વિશે માહિતી આપો.

ઉત્તર:    ભારતની ઉત્તર સીમાએ પૂર્વ-પશ્ચિમ ત્રણ પર્વતોની હારમાળા આવેલી છે. તેને           હિમાલયની પર્વતમાળા’ કહે છે. હિમાલયની પર્વતમાળાને ત્રણ ભાગમાં વહેંચવામાં         આવે છેઃ

  1. છેક ઉત્તરમાં મહા હિમાલય કે હિમાદ્રી પર્વતમાળા આવેલી છે. અહીં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે.
  2. આ પર્વતમાળાની દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલની પર્વતમાળા આવેલી છે. અહીં રમણીય સૌંદર્યધામો અને પવિત્ર તીર્થધામો આવેલાં છે.
  3. મધ્ય હિમાલયની દક્ષિણે 3 શિવાલિક કે લઘુ હિમાલયની પર્વતમાળા આવેલી છે.


9. ઉત્તર ભારતના મેદાન વિશે માહિતી આપો.

અથવા

ઉત્તર ભારતમાં વસ્તી ગીચ છે. કારણ આપો

ઉત્તરઃ    ઉત્તર ભારતનું મેદાન ઉત્તરના પર્વતીય પ્રદેશની દક્ષિણે આવેલું છે.                           હિમાલયમાંથી  નીકળતી ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર વગેરે મોટી નદીઓ અને           તેમને મળતી નદીઓ(શાખા નદીઓ)એ પાથરેલા કાંપથી તે બનેલું છે. આ મેદાન           સમતલ છે.
             તેની જમીન ખૂબ ફળદ્રુપ છે. તેથી અહીં ખેત-ઉત્પાદન વધુ થાય રે છે. તે               ભારતનો સૌથી સમૃદ્ધ  અને ગીચ વસ્તીવાળો પ્રદેશ છે.


10. દખ્ખણના ઉચ્ચપ્રદેશની માહિતી આપો.

ઉત્તર:    દખ્ખણનો ઉચ્ચપ્રદેશ ઉત્તરના મેદાનની દક્ષિણે આવેલો છે. તેના કેટલાક ભાગો         ઊંચા છે, જ્યારે કેટલાક ભાગો ઓછી ઊંચાઈ ધરાવે છે. તેના ઉત્તર ભાગમાં ઉત્તર-           પશ્ચિમે અરવલ્લીની પર્વતમાળાઓ આવેલી છે. તેની દક્ષિણ-પૂર્વે વિંધ્યાચલ અને             સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. આ પર્વતમાળામાંથી નીકળતી નર્મદા અને           તાપી નદીઓ પશ્ચિમ તરફ વહી અરબ – સાગરને મળે છે. દખ્ખણના ઉચ્ચપ્રદેશની         પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. પશ્ચિમ ઘાટ           સળંગ છે, જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. આ ઉચ્ચપ્રદેશ જ્વાળામુખીના લાવાથી બનેલો           છે. તેથી અહીં ખનીજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે.


11. ભારતના દ્વીપસમૂહો (ટાપુસમૂહો) વિશે માહિતી આપો.

ઉત્તર: ભારત બે દ્વીપસમૂહો ધરાવે છે

  • લક્ષદ્વીપ ટાપુઓ અને
  • અંદમાન અને નિકોબાર ટાપુઓ.

          લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં કેરલના કિનારાથી પશ્ચિમે આવેલા છે. તે                 પરવાળાના નિક્ષેપથી બનેલા છે. અંદમાન-નિકોબાર ટાપુઓ બંગાળાના                       ઉપસાગર(બંગાળની ખાડી)માં દક્ષિણ-પૂર્વે આવેલા છે. આ ટાપુઓ લક્ષદ્વીપ                 ટાપુઓ કરતાં મોટા, સંખ્યામાં વધારે અને વિસ્તૃત ક્ષેત્રમાં પથરાયેલા છે.


Post a Comment

0 Comments