JNV, NMMS, PSE

TICKER

Advertisement

social science std-8 sem-2 exam material

 સામાજિક વિજ્ઞાન ધોરણ-8 બીજા સત્રની પરીક્ષાનું મટેરીયલ બ્લુપ્રિન્ટ મુજબ


CET, જ્ઞાન સાધના પરિક્ષાના હોલ ટીકીટ ડાઉનલોડ કરો 👉 ડાઉનલોડ


social science std-8 sem-2 exam material



1. નીચે આપેલા બંધબેસતાં જોડકાં જોડો:
1.

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
(1) લૉર્ડ વિલિયમ બેન્ટિક(1) વુડનો ખરીતો
(2) લૉર્ડ વેલેસ્લી(2) હન્ટર કમિશન
(3) ઈ. સ. 1882(3) ઍડલર કમિશન
(4) ઈ. સ. 1917(4) ફોર્ટ વિલિયમ કૉલેજ સ્થાપી
(5) ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કર્યું

ઉત્તર:

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
(1) લૉર્ડ વિલિયમ બેન્ટિક(5) ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કર્યું
(2) લૉર્ડ વેલેસ્લી(4) ફોર્ટ વિલિયમ કૉલેજ સ્થાપી
(3) ઈ. સ. 1882(2) હન્ટર કમિશન
(4) ઈ. સ. 1917(3) ઍડલર કમિશન

2.

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
(1) ઈ. સ. 1844(1) જામિયા મિલિયા યુનિવર્સિટીની સ્થાપના
(2) ઈ. સ. 1916(2) શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી
(3) ઈ. સ. 1920(3) પ્રેસિડન્સી કૉલેજ બની
(4) ઈ. સ. 1922(4) એલ્ફિન્સ્ટન કૉલેજની સ્થાપના
(5) બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપના

ઉત્તર:

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
(1) ઈ. સ. 1844(4) એલ્ફિન્સ્ટન કૉલેજની સ્થાપના
(2) ઈ. સ. 1916(5) બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપના
(3) ઈ. સ. 1920(1) જામિયા મિલિયા યુનિવર્સિટીની સ્થાપના
(4) ઈ. સ. 1922(2) શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી

3.

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
(1) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ(1) હૈદરાબાદ
(2) બોઝ સંશોધન કેન્દ્ર(2) બેંગલુરુ
(3) ખેતવાડી કેન્દ્ર(3) કોલકાતા
(4) ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ(4) દિલ્લી
(5) પૂના (પુણે)

ઉત્તર:

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
(1) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ(2) બેંગલુરુ
(2) બોઝ સંશોધન કેન્દ્ર(3) કોલકાતા
(3) ખેતવાડી કેન્દ્ર(4) દિલ્લી
(4) ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ(5) પૂના (પુણે)


4.

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
(1) રાજા રામમોહનરાય(1) છોડીઓની નિશાળ સ્થાપી
(2) મહર્ષિ કર્વે(2) કાંગડી ગુરુકુળના સ્થાપક
(3) હરકુંવર શેઠાણી(3) બ્રહ્મોસમાજના સ્થાપક
(4) સ્વામી શ્રદ્ધાનંદ(4) માનવધર્મ સભાના સ્થાપક
(5) એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી

ઉત્તર:

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
(1) રાજા રામમોહનરાય(3) બ્રહ્મોસમાજના સ્થાપક
(2) મહર્ષિ કર્વે(5) એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી
(3) હરકુંવર શેઠાણી(1) છોડીઓની નિશાળ સ્થાપી
(4) સ્વામી શ્રદ્ધાનંદ(2) કાંગડી ગુરુકુળના સ્થાપક

5.

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
(1) ડૉ. ઝાકીર હુસેન(1) એંગ્લો વૈદિક કૉલેજના સ્થાપક
(2) મહાત્મા ગાંધી(2) શિક્ષણ સમિતિના અધ્યક્ષ
(3) રવીન્દ્રનાથ ટાગોર(3) ગૂજરાત વિદ્યાપીઠના સ્થાપક
(4) રાજા રામમોહનરાય(4) પ્રખર પ્રકૃતિવાદી
(5) આત્મીય સભાના સ્થાપક

ઉત્તર:

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
(1) ડૉ. ઝાકીર હુસેન(2) શિક્ષણ સમિતિના અધ્યક્ષ
(2) મહાત્મા ગાંધી(3) ગૂજરાત વિદ્યાપીઠના સ્થાપક
(3) રવીન્દ્રનાથ ટાગોર(4) પ્રખર પ્રકૃતિવાદી
(4) રાજા રામમોહનરાય(5) આત્મીય સભાના સ્થાપક

6.

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
(1) રાજા રામમોહનરાય(1) સોમપ્રકાશ સામયિક
(2) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર(2) ભારતના શિક્ષણનો મેગ્નાકા
(3) લૉર્ડ ડેલહાઉસી(3) લગ્નવય સંમતિ ધારો
(4) કેશવચંદ્ર સેન(4) સંવાદ કૌમુદી સામયિક
(5) વિધવા પુનર્લગ્ન કાયદો

ઉત્તરઃ

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
(1) રાજા રામમોહનરાય(4) સંવાદ કૌમુદી સામયિક
(2) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર(1) સોમપ્રકાશ સામયિક
(3) લૉર્ડ ડેલહાઉસી(5) વિધવા પુનર્લગ્ન કાયદો
(4) કેશવચંદ્ર સેન(3) લગ્નવય સંમતિ ધારો


7.

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
(1) દુર્ગારામ મહેતા(1) સંસ્કૃત કૉલેજમાં અધ્યાપક
(2) નર્મદ(2) મહારાષ્ટ્રના અગ્રણી સમાજસુધારક
(3) શ્રીચંદ્ર વિદ્યારત્ન(3) આર્યસમાજના સ્થાપક
(4) જ્યોતિરાવ ફૂલે(4) વિધવા સાથે લગ્ન કર્યા.
(5) માનવધર્મ સભાના સ્થાપક

ઉત્તરઃ

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
(1) દુર્ગારામ મહેતા(5) માનવધર્મ સભાના સ્થાપક
(2) નર્મદ(4) વિધવા સાથે લગ્ન કર્યા.
(3) શ્રીચંદ્ર વિદ્યારત્ન(1) સંસ્કૃત કૉલેજમાં અધ્યાપક
(4) જ્યોતિરાવ ફૂલે(2) મહારાષ્ટ્રના અગ્રણી સમાજસુધારક

8.

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
(1) દક્ષિણેશ્વરના મહાન સંત(1) નરેન્દ્રનાથ દત્ત
(2) સ્વામી વિવેકાનંદનું મૂળ નામ(2) વિશ્વધર્મ પરિષદ
(3) રામકૃષ્ણ મિશનની સ્થાપના(3) વિશ્વનાથ દત્ત
(4) શિકાગો શહેર(4) રામકૃષ્ણ પરમહંસ
(5) સ્વામી વિવેકાનંદ

ઉત્તરઃ

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
(1) દક્ષિણેશ્વરના મહાન સંત(4) રામકૃષ્ણ પરમહંસ
(2) સ્વામી વિવેકાનંદનું મૂળ નામ(1) નરેન્દ્રનાથ દત્ત
(3) રામકૃષ્ણ મિશનની સ્થાપના(5) સ્વામી વિવેકાનંદ
(4) શિકાગો શહેર(2) વિશ્વધર્મ પરિષદ


2. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો:

1. ………………….. એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના.
ઉત્તર:
રાષ્ટ્રવાદ

2. અંગ્રેજી શાસને અજાણતાં દેશના લોકોમાં ……………………… નાં બી રોપ્યાં.

ઉત્તર:
રાષ્ટ્રીય એકતા

૩. અંગ્રેજ સરકારની …………………………… ની નીતિને કારણે ખેડૂતો પાયમાલ થયા અને કારીગરો બેરોજગાર બન્યા.
ઉત્તર:
આર્થિક શોષણ

4. અંગ્રેજી કેળવણીને લીધે ભારતમાં …………………………. નો નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો.
ઉત્તર:
બુદ્ધિવાદીઓ

5. રાષ્ટ્રવાદના વિકાસમાં …………………… નો ફાળો અવિસ્મરણીય હતો.
ઉત્તર:
વર્તમાનપત્રો

6. વાઇસરૉય રિપને પસાર કરેલા ……………………. બિલનો અંગ્રેજોએ સખત વિરોધ કર્યો હતો.
ઉત્તર:
ઇલ્બર્ટ

7. ઈન્ડિયન ઍસોસિયેશનની સ્થાપના ……………………. માં થઈ હતી.
ઉત્તર:
કોલકાતા

8. નિવૃત્ત અંગ્રેજ અમલદાર …………………….. ના પ્રયાસોથી હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ.

ઉત્તર:
એ. ઓ. હ્યુમ

9. ઈ. સ. ………………………. માં હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ.
ઉત્તર:
1885

10. ……………………….. ના રોજ હિંદી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન મળ્યું હતું.
ઉત્તરઃ
28 ડિસેમ્બર, 1885

11. હિંદી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ……………………. માં મળ્યું હતું.
ઉત્તર:
મુંબઈ

12. હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં …………………………… જેટલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
ઉત્તર:
72

13. …………………….. હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પહેલા પ્રમુખ હતા.
ઉત્તર:
વ્યોમેશચંદ્ર બેનરજી

14. ………………… નેતાઓએ હિંદના સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરી તેમનામાં રાષ્ટ્રીય ચેતના જાગ્રત કરી.
ઉત્તર:
મવાળવાદી

15. ……………………………….. નેતાઓ હિંદી રાષ્ટ્રીય મહાસભાની નીતિરીતિઓમાં આમૂલ પરિવર્તનની માગણી કરતા હતા.

ઉત્તર:
જહાલવાદી

16. “સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે લઈને જ જેપીશ.” આ વિધાન ………………………. કહ્યું હતું.
ઉત્તર:
લોકમાન્ય ટિળકે

17. વાઇસરૉય લૉર્ડ ………………………. બંગાળના ભાગલા પાડ્યા.
ઉત્તર:
કર્ઝને

18. વાઇસરૉય લૉર્ડ કર્ઝને ઈ. સ. …………………………… માં બંગાળાના ભાગલા પાડ્યા.
ઉત્તર:
1905

19. વાઇસરૉય લૉર્ડ ………………………… ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ અમલમાં મૂકી.
ઉત્તર:
કર્ઝને

20. ઈ. સ. ………………………. માં અંગ્રેજ સરકારે બંગાળાના ભાગલા રદ કર્યા.
ઉત્તર:
1911

21. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત …………………………….. એ કરી હતી.

ઉત્તર:
વાસુદેવ બળવંત ફડકે

22. …………………. અને …………………… નામના બે ચાફેકર ભાઈઓએ મુખ્ય પ્લેગ કમિશનર રેન્ડની હત્યા કરી હતી.
ઉત્તર:
દામોદર, બાલકૃષ્ણ

23. ઈ. સ. 1900માં ……………………. ‘મિત્રમેલા’ નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી હતી, જે પછીથી ‘અભિનવ ભારત’ના નામે ઓળખાઈ હતી.
ઉત્તર:
વિનાયક સાવરકરે

24. ‘અનુશીલન સમિતિ’ નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના ……………………. માં થઈ હતી.
ઉત્તર:
કોલકાતા

25. ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશ …………………… ની હત્યા કરવાની યોજના બનાવી હતી.
ઉત્તર:
કિગ્સફર્ડ

26. …………………… અને …………………….. હિંદુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ઉત્તર:
અશફાક ઉલ્લાખાં, રામપ્રસાદ બિસ્મિલે

27. …………………….. ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ હતાં.

ઉત્તર:
દુર્ગાભાભી

28. ……………………. ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં બાળપણથી જ સક્રિય બન્યા હતા.
ઉત્તર:
ચંદ્રશેખર આઝાદ

29. ………………………. પ્રતિજ્ઞા લીધી હતી કે “હું જીવતેજીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ.”
ઉત્તર:
ચંદ્રશેખર આઝાદે

30. ……………………… એ ઇંગ્લેન્ડમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટી સ્થાપી હતી.
ઉત્તર:
શ્યામજી કૃષ્ણ વર્મા

31. શ્યામજી કૃષ્ણ વર્માએ ‘ઇન્ડિયન હોમરૂલ સોસાયટી’ના પ્રચાર માટે ‘………………………..’ નામનું સામયિક શરૂ કર્યું હતું.
ઉત્તરઃ
ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ

32. ……………………….. ક્રાંતિકારી લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્મા સાથે જોડાયા હતા.
ઉત્તરઃ
વાસુદેવ બળવંત ફડકે

33. …………………………… નામના ક્રાંતિકારીને વિલિયમ વાયલીની હત્યાના આરોપસર ફાંસીની સજા થઈ હતી.
ઉત્તરઃ
મદનલાલ ઢીંગરા

34. શ્યામજી કૃષ્ણ વર્મા લંડનથી પૅરિસ ગયા પછી લંડનમાં તેમની કામગીરી …………………………. સંભાળી હતી.

ઉત્તરઃ
વિનાયક સાવરકરે

35. મૅડમ ભિખાઈજી રુસ્તમ કામાએ જર્મનીમાં …………………………….. નામનું વર્તમાનપત્ર શરૂ કર્યું હતું.
ઉત્તરઃ
વંદે માતરમ્

36. ઈ. સ. 1907માં જર્મનીના સ્ટાર્ટગાર્ડમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પ્રથમ ……………………………. (સૂચિત) ફરકાવવામાં આવ્યો હતો.
ઉત્તરઃ
તિરંગો રાષ્ટ્રધ્વજ

37. શ્યામજી કૃષ્ણ વર્માના સાથીદાર ……………………… એ પૅરિસમાં સભાઓ ભરી અંગ્રેજ દમનનો વિરોધ કર્યો હતો.
ઉત્તરઃ
સરદારસિંહ રાણા

38. માનગઢ હત્યાકાંડ 17 નવેમ્બર ……………………….. ના રોજ સર્જાયો હતો.
ઉત્તરઃ
1913

39. ……………………… હત્યાકાંડ માનગઢ ડુંગર પર સર્જાયો હતો.
ઉત્તરઃ
માનગઢ

40. માનગઢ હત્યાકાંડ …………………………. ના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે.

ઉત્તરઃ
આદિવાસીઓ

41. ……………………….. ભગત ચળવળ ચલાવતા હતા.
ઉત્તરઃ
ગોવિંદ ગુરુ

42. વિદ્વાન ઇતિહાસકારોના મતે માનગઢ હત્યાકાંડમાં ……………………….થી વધુ આદિવાસીઓ શહીદ થયા હતા.
ઉત્તરઃ
1200

43. ગોવિંદ ગુરુની સમાધિ …………………….. (તા. લીમડી, જિ. દાહોદ) ખાતે આજે હયાત છે.
ઉત્તરઃ
કંબોઈ

44. દઢવાવ આદિવાસી આંદોલન ………………………… તાલુકા (જિ. સાબરકાંઠા)માં થયું હતું.
ઉત્તરઃ
વિજયનગર

45. ગાંધીજી ઈ. સ. ………………………. માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા હતા.
ઉત્તરઃ
1915

46. ગાંધીજીએ ………………………. પાસેથી પ્રેરણા મેળવી ભારતના ઘણાખરા ભાગોનો પ્રવાસ કર્યો હતો.
ઉત્તરઃ
ગોપાલકૃષ્ણ ગોખલે

47. ગાંધીજીએ ઈ. સ. 1915માં અમદાવાદમાં ………………………… આશ્રમની સ્થાપના કરી હતી.

ઉત્તરઃ
કોચરબ

48. ગાંધીજીના શરૂઆતના સત્યાગ્રહોમાં તેમને …………………… અને જેવા સાથીદારો મળ્યા હતા.
ઉત્તર:
વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્રપ્રસાદ

49. ……………………. હિમાલયની તળેટીમાં બિહારમાં આવેલું છે.
ઉત્તર:
ચંપારણ

50. ચંપારણમાં ગળીની ખેતીની પદ્ધતિને ‘……………………………’ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવતી.
ઉત્તર:
તીન કઠિયા

51. ચંપારણના ખેડૂત રાજકુમાર શુક્લના આગ્રહથી ગાંધીજી …………………………. ગયા.
ઉત્તર:
મોતીહારી

52. વલ્લભભાઈ પટેલ …………………….. સત્યાગ્રહ દરમિયાન વકીલાત છોડીને દેશસેવામાં જોડાયા.
ઉત્તર:
ખેડા

53. ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ‘……………………’ નું બિરુદ આપ્યું હતું.
ઉત્તર:
ડુંગળીચોર

54. પ્રથમ વિશ્વયુદ્ધ પછી અંગ્રેજ સરકારે માર્ચ …………………………. માં. રૉલેટ ઍક્ટ પસાર કર્યો.

ઉત્તર:
1919

55. ગાંધીજીએ રૉલેટ ઍક્ટને ‘………………………’ કહ્યો હતો.
ઉત્તર:
કાળો કાયદો

56. જલિયાંવાલા બાગનો હત્યાકાંડ પંજાબના ………………………….. શહેરમાં થયો હતો.
ઉત્તર:
અમૃતસર

57. જલિયાંવાલા બાગનો હત્યાકાંડ અમૃતસરના લશ્કરી કમાન્ડર …………………………. કર્યો હતો.
ઉત્તર:
જનરલ ડાયરે

58. જલિયાંવાલા બાગના હત્યાકાંડ બાદ અંગ્રેજ સરકારે પંજાબમાં ………………………….. લગાડી લોકો પર દમન ગુજાર્યો.
ઉત્તર:
માર્શલ લૉ

59. જલિયાંવાલા બાગના હત્યાકાંડની ઘટનાથી વ્યથિત થયેલા ગાંધીજીએ ‘………………………..’ નો ઇલકાબ ત્યજી દીધો.
ઉત્તર:
કેસરે હિંદ

60. જલિયાંવાલા બાગના હત્યાકાંડ પછી રવીન્દ્રનાથ ટાગોર ‘……………………………’ ની પદવી અંગ્રેજ સરકારને પરત કરી.

ઉત્તરઃ
નાઇટહૂડ

61. ગાંધીજીએ ઈ. સ. 1920માં ………………………… નું આંદોલન શરૂ કર્યું હતું.
ઉત્તર:
અસહકાર

62. ………………………. આંદોલન દરમિયાન પ્રિન્સ ઑફ વેલ્સ ભારત આવ્યા હતા.
ઉત્તર:
અસહકાર

63. અસહકારના આંદોલન દરમિયાન આંધ્ર પ્રદેશના ગંતુર જિલ્લામાં ‘………………………’ સત્યાગ્રહ થયો હતો.
ઉત્તર:
વન

64. મહાત્મા ગાંધી ………………………….. સત્યાગ્રહમાં માનતા હતા.
ઉત્તર:
અહિંસક

65. ગાંધીજીએ ………………………….. માં બનેલા હિંસક બનાવને કારણે અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું.
ઉત્તર:
ચોરીચૌરા

66. મોતીલાલ નેહરુ અને ચિત્તરંજનદાસે …………………….. પક્ષની રચના કરી હતી.
ઉત્તર:
સ્વરાજ

67. સાયમન કમિશનમાં એક પણ ……………………….. પ્રતિનિધિ ન હતો.
ઉત્તર:
ભારતીય

68. લાહોરમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ………………………. અંગ્રેજ પોલીસોના લાઠીચાર્જને કારણે મૃત્યુ પામ્યા.

ઉત્તર:
લાલા લજપતરાય

69. ક્રાંતિકારીઓએ લાલા લજપતરાય પર લાઠીચાર્જ કરનાર અંગ્રેજ પોલીસ અધિકારી ……………………… ની હત્યા કરી.
ઉત્તર:
સાન્ડર્સ

70. મોતીલાલ નેહરુએ તૈયાર કરેલ રિપૉર્ટ ‘……………………… અહેવાલ’ તરીકે પ્રસિદ્ધ છે.
ઉત્તર:
નેહરુ

71. ઈ. સ. 1928માં થયેલા ………………………….. સત્યાગ્રહ દરમિયાન ‘ના કર’ની લડત ચલાવવામાં આવી હતી.
ઉત્તર:
બારડોલી

72. ………………………… સત્યાગ્રહના સફળ સંચાલનથી વલ્લભભાઈ પટેલ ‘સરદાર’ તરીકે ઓળખાયા.
ઉત્તર:
બારડોલી

73. હિંદી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓ ‘…………………………’ ના આગ્રહી હતા.
ઉત્તર:
પૂર્ણ સ્વરાજ

74. ……………………… અને ……………………… નામના ક્રાંતિકારીઓએ અંગ્રેજોના બહેરા કાનને ખોલવાના આશયથી મધ્યસ્થ ધારાસભામાં બોમ્બ ફેંક્યો.

ઉત્તર:
વીર ભગતસિંહ, બટુકેશ્વર દત્ત

75. લાહોર ખાતે મળેલા હિંદી રાષ્ટ્રીય મહાસભાના અધ્યક્ષ ……………………….. હતા.
ઉત્તર:
જવાહરલાલ નેહરુ

76. લાહોર ખાતે મળેલા હિંદી રાષ્ટ્રીય અધિવેશનમાં ‘………………………..’ નો ઠરાવ પસાર કરવામાં આવ્યો.
ઉત્તર:
પૂર્ણ સ્વરાજ

77. લાહોર ખાતે મળેલા હિંદી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનના ઠરાવના આધારે દર વર્ષે 26મી જાન્યુઆરીના દિવસને …………………………….. દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું.
ઉત્તર:
પ્રજાસત્તાક

78. બંગાળાના ક્રાંતિકારી ………………………… જેલમાં ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે આજીવન ઉપવાસ કર્યા હતા.
ઉત્તર:
જતીનદાસે

79. ઈ. સ. 1930માં ગાંધીજીએ જાહેર કર્યું હતું કે, ……………………… ના અન્યાયી કાયદાનો ભંગ કરવા તે યાત્રા કાઢશે.
ઉત્તર:
મીઠા

80. મીઠાના અન્યાયી કાયદાનો સવિનયપણે ભંગ કરવા ગાંધીજીએ ……………………… કરી.

ઉત્તર:
દાંડીયાત્રા (દાંડીકૂચ)

81. ગાંધીજીએ ………………………….. ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીયાત્રા શરૂ કરી.
ઉત્તરઃ
12 માર્ચ, 1930

82. ગાંધીજીએ ………………………. ની સવારે મીઠાના કાયદાનો ભંગ કર્યો.
ઉત્તરઃ
6 એપ્રિલ, 1930

83. ધરાસણા સત્યાગ્રહમાં ગાંધીજીની ધરપકડ થતાં સત્યાગ્રહનું નેતૃત્વ ………………………. એ લીધું.
ઉત્તરઃ
અબ્બાસ સાહેબ તૈયબજી

84. ધરાસણા સત્યાગ્રહમાં અબ્બાસ સાહેબ તૈયબજીની ધરપકડ થતાં સત્યાગ્રહનું નેતૃત્વ …………………….. એ લીધું.
ઉત્તરઃ
સરોજિની નાયડુ

85. સરહદ પ્રાંતના વિસ્તારમાં સરહદના ગાંધી ………………………… ની આગેવાની નીચે ના કર’ની અહિંસક લડત લડવામાં આવી.
ઉત્તરઃ
ખાન અબ્દુલ ગફારખાન

86. ગાંધીજીએ ………………………. ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી.
ઉત્તરઃ
બીજી

87. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ……………………….. ની પસંદગી કરવામાં આવી.
ઉત્તરઃ
વિનોબા ભાવે

88. ઈ. સ. 1942માં બ્રિટિશ સરકારે ……………………….. મિશનને
ભારત મોકલ્યું.
ઉત્તરઃ
ક્રિસ

89. 8 ઑગસ્ટ, 1942ના રોજ મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિએ ઐતિહાસિક ‘………………………..’ નો ઠરાવ પસાર કર્યો.
ઉત્તરઃ
હિંદ છોડો

90. ઈ. સ. ……………………….. ના અંત સુધીમાં મોટા ભાગના સ્વાતંત્ર્ય સેનાનીઓની ધરપકડ કરવામાં આવી.
ઉત્તરઃ
1943

91. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, …………………………….. ના રોજ થયો હતો.
ઉત્તરઃ
1897

92. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓડિશા રાજ્યના ……………………….. શહેરમાં થયો હતો.
ઉત્તરઃ
કટક

93. સુભાષચંદ્ર બોઝે ‘…………………………’ નામનો નવો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો.
ઉત્તરઃ
ફૉરવર્ડ બ્લૉક

94. રાસબિહારી ઘોષની મદદથી જાપાનમાં ………………………… ની સ્થાપના કરવામાં આવી હતી.
ઉત્તરઃ
આઝાદ હિંદ ફોજ

95. આઝાદ હિંદ ફોજના સેનાપતિ કૅપ્ટન ……………………….. હતા,
ઉત્તરઃ
મોહનસિંહ

96. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજને ‘………………………….’ સૂત્ર આપ્યું હતું.
ઉત્તરઃ
ચલો દિલ્લી

97. સુભાષચંદ્ર બોઝ ઈ. સ. ……………………………. ની 18મી ઑગસ્ટે અવસાન પામેલા મનાય છે.
ઉત્તરઃ
1945

98. ઈ. સ. 1946માં મુંબઈમાં ……………………… ના સૈનિકોએ બળવો કર્યો હતો.
ઉત્તરઃ
નૌકાસેના

99. ઇંગ્લેન્ડના વડા પ્રધાને ભારત સાથે ……………………….. ની વાટાઘાટો કરવા ત્રણ પ્રધાનોનું કૅબિનેટ મિશન ભારત મોકલ્યું.
ઉત્તરઃ
પૂર્ણ સ્વરાજ

100. જુલાઈ …………………………. માં બંધારણસભાની રચના કરવા માટે ચૂંટણીઓ યોજવામાં આવી.
ઉત્તરઃ
1946

101. લૉર્ડ વેવેલ પછી વાઇસરોય તરીકે ……………………. ને નીમવામાં આવ્યા.
ઉત્તરઃ
લૉર્ડ માઉન્ટ બેટન

102. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સમાધાન ન થતાં લૉર્ડ ………………………….. ભારતના ભાગલા પાડવાનો નિર્ણય લીધો.
ઉત્તરઃ
માઉન્ટ બેટને

103. …………………………. યોજના પ્રમાણે જુલાઈ, 1947માં હિંદ સ્વાતંત્ર્ય ધારો પસાર થયો.
ઉત્તરઃ
માઉન્ટ બેટન

104. હિંદ સ્વાતંત્ર્ય ધારા મુજબ હિન્દનું ……………………….. અને એમ બે સ્વતંત્ર રાષ્ટ્રોમાં વિભાજન થયું.
ઉત્તરઃ
ભારત, પાકિસ્તાન

105. માઉન્ટ બેટન યોજના પ્રમાણે જુલાઈ, ……………………………… માં હિંદ સ્વાતંત્ર્ય ધારો પસાર થયો.
ઉત્તરઃ
1947

106. ……………………….. 1947ના રોજ ભારતદેશ સ્વતંત્ર થયો.
ઉત્તરઃ
15 ઑગસ્ટ

3. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ

1. લા એ માનવીની અભિવ્યક્તિનું માધ્યમ છે.
ઉત્તર:
ખરું

2. કલા એ સંસ્કારને ઉજારત કરતું માધ્યમ છે.
ઉત્તર:
ખોટું

૩. માંગરોળના મહારાજા સૂરજમલજીએ ભુજમાં લાશાળા સ્થાપી હતી.
ઉત્તર:
ખોટું

4. વડોદરાના કલાભવન’નો અભિગમ કલા ઉદ્યોગના શિક્ષણ પરત્વે વધુ હતો.
ઉત્તર:
ખરું

5. અમદાવાદમાં શેઠ સી. એન. વિદ્યાલયમાં આવેલી ‘કલાશાળા’માં DTC Diploma Training Certificate)નો અભ્યાસક્રમ ચાલે છે.
ઉત્તર:
ખોટું

6. ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ પાષાણયુગ જેટલો જૂનો છે.
ઉત્તર:
ખરું

7. ઈ. સ. પૂર્વે 10,000ના કાળના મધ્ય પ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી ચિત્રો મળ્યાં છે.
ઉત્તર:
ખોટું

8. ભીમબેટકાની ગુફાઓનાં ચિત્રો એ ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો છે.
ઉત્તર:
ખરું

9. ઈ. સ. પૂર્વે 2000ની આસપાસનાં ચિત્રો તમિલનાડુના નરસિંહગઢની ગુફાઓમાંથી મળ્યાં છે.
ઉત્તર:
ખોટું

10. ભારતીય ચિત્રકળાનો સર્વશ્રેષ્ઠ સમય ગુપ્તયુગને ગણી શકાય.
ઉત્તરઃ
ખરું

11. અજંતા અને ઍલિફન્ટાની ગુફાઓ ગુપ્તયુગ દરમિયાન નિર્માણ પામી હતી.
ઉત્તર:
ખોટું

12. અજંતાની ગુફાઓનાં ચિત્રોમાંથી ગુફા નં. 9 અને ગુફા નં. 12નાં ચિત્રો ખૂબ ખ્યાતિ પામ્યાં છે.
ઉત્તર:
ખોટું

13. પદ્મપાણિ બુદ્ધનું ચિત્ર અજંતાની ગુફામાં આવેલું છે.
ઉત્તર:
ખરું

14. ભારતીય ચિત્રકલા ઉત્તર ભારતથી દક્ષિણ ભારત સુધી ફેલાયેલી હતી.
ઉત્તર:
ખરું

15. કર્ણાટકમાં આવેલી બાદામીની ગુફાનાં ચિત્રો ચિત્રકલાના ઉત્કૃષ્ટ નમૂના છે.
ઉત્તર:
ખરું

16. મીનાક્ષી મંદિરની દીવાલો પર ભારતનાં મહાકાવ્યોને ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યાં છે.
ઉત્તર:
ખોટું

17. બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, ઔરંગઝેબ વગેરે મુઘલ બાદશાહોએ ચિત્રકલાને નોંધપાત્ર પ્રોત્સાહન આપ્યું હતું.
ઉત્તર:
ખોટું

18. મુઘલ બાદશાહ અકબરે ચિત્રશાળા સ્થાપી હતી.
ઉત્તર:
ખોટું

19. રાજા રવિવર્માએ ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયનાં ઉત્કૃષ્ટ તૈલચિત્રો બનાવ્યાં હતાં.
ઉત્તર:
ખરું

20. રાજા રવિવર્માનું દેવી સરસ્વતીનું ચિત્ર પ્રખ્યાતિ પામ્યું છે.
ઉત્તર:
ખરું

21. ઈ. સ. 1962માં કોલકાતા અને મુંબઈમાં ચિત્રશાળાઓની સ્થાપના કરવામાં આવી હતી.
ઉત્તર:
ખોટું

22. પુડુચેરીમાં કે. સી. એસ. પાણિકર અને દેવીપ્રસાદ રૉય ચૌધરીએ ‘મદ્રાસ સ્કૂલ ઑફ આર્ટ’ની સ્થાપના કરી હતી.
ઉત્તર:
ખોટું

23. કલાના વિકાસ માટે ભારતમાં નૅશનલ ગેલેરી ઑફ મોડર્ન આર્ટ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
ઉત્તર:
ખરું

24. ચેન્નઈની ‘મદ્રાસ સ્કૂલ ઑફ આર્ટ’માં આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ છે.
ઉત્તર:
ખોટું

25. હિંદુ, બૌદ્ધ અને જૈન ચિત્રશૈલીઓ ભારતની પ્રાચીન ચિત્રશૈલીઓ છે.
ઉત્તર:
ખરું

26. ઑઇલ પેઇન્ટિંગ, એ પેઇન્ટિંગ અને કેનવાસ પેઇન્ટિંગ એ આધુનિક ચિત્રશૈલીઓ છે.
ઉત્તર:
ખરું

27. પાલ ચિત્રશૈલીનો મુખ્ય વિષય હીનયાન બોદ્ધ સંપ્રદાય રહ્યો છે.
ઉત્તર:
ખોટું

28. પાલ ચિત્રશૈલીમાં જાતક કથાઓ અને બોધિસત્ત્વનાં ચિત્રો જોવા મળે છે.
ઉત્તર:
ખરું

29. પાલ શૈલીનાં ચિત્રો લઘુચિત્રો પ્રકારનાં છે.
ઉત્તર:
ખરું

30. જૈન શૈલીનાં ચિત્રો મુખ્યત્વે તૈલચિત્રો છે.
ઉત્તર:
ખોટું

31. રાજપૂત ચિત્રશૈલીમાં લઘુચિત્રો અને ભીંતચિત્રોનો સમાવેશ થાય છે.
ઉત્તર:
ખરું

32. રાજસ્થાન શેલી રાજપૂત શૈલી તરીકે પણ ઓળખાય છે.
ઉત્તર:
ખોટું

33. ભારતમાં આવેલા મુઘલ રાજાઓ નાટ્યકલાના ખૂબ પ્રેમી હતા.
ઉત્તર:
ખોટું

34. મુઘલ શૈલી ભારતીય અને ગ્રીક શૈલીના સમન્વયથી અસ્તિત્વમાં આવી છે.
ઉત્તર:
ખોટું

35. મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં મુઘલ શૈલી તેના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી.
ઉત્તર:
ખરું

36. મુઘલ બાદશાહ જહાંગીરના દરબારમાં મજૂર અને મોલારામ જેવા પ્રખ્યાત ચિત્રકારો હતા.
ઉત્તર:
ખોટું

37. મોલારામ કાંગડા શૈલીનો મહાન ચિત્રકાર હતો.
ઉત્તર:
ખરું

38. બિહારમાં મિથિલા ચિત્રશૈલી (મધુબની ચિત્રકલા) વિકસી હતી.
ઉત્તર:
ખરું

39. આંધ્ર પ્રદેશમાં કલમકારી ચિત્રકલા વિકસી હતી.
ઉત્તર:
ખરું

40. ઓડિશામાં કાલીઘાટ ચિત્રકલા વિકસી હતી.
ઉત્તર:
ખોટું

41. રાજસ્થાનમાં ફાડ ચિત્રશૈલી વિકસી હતી.
ઉત્તર:
ખરું

42. સંથાલ જનજાતિના પ્રદેશમાં ગોંડ ચિત્રકલા વિકસી હતી.
ઉત્તર:
ખરું

43. વારલી ચિત્રકલા એ મહારાષ્ટ્રની જનજાતિઓની ચિત્રકલા હતી.
ઉત્તર:
ખરું

44. પીઠોરા ચિત્રકલા એ ગુજરાતની ચિત્રકલા હતી.
ઉત્તર:
ખરું

45. કાલીઘાટ ચિત્રકલા એ બિહારની ચિત્રકલા હતી.
ઉત્તર:
ખોટું

46. રવીન્દ્રનાથ ટાગોર ગુજરાતના નામાંકિત ચિત્રકાર હતા.

ઉત્તર:
ખોટું

47. કલાગુરુ રસિકલાલ પરીખ મહારાષ્ટ્રના નામાંક્તિ ચિત્રકાર હતા.
ઉત્તર:
ખોટું

48. કલાગુરુ રવિશંકર રાવળે કલાનું શિક્ષણ મુંબઈમાં મેળવ્યું હતું.
ઉત્તર:
ખરું

49. કલાગુરુ રવિશંકર રાવળના ‘દેવી સરસ્વતી’ના ચિત્રને સુવર્ણપદક મળ્યું હતું.
ઉત્તર:
ખોટું

50. ઈ. સ. 1928માં રવિશંકર રાવળે ‘કુમાર’ નામના માસિકનો પ્રારંભ કર્યો હતો.
ઉત્તર:
ખોટું

51. રાજા રવિવર્માનાં ચિત્રો વાસ્તવદર્શી છે.
ઉત્તર:
ખરું

52. વ્યક્તિચિત્રો તૈયાર કરવામાં રાજા રવિવર્માની સિદ્ધિ અનન્ય હતી.
ઉત્તર:
ખરું

53. રાજા રવિવર્માનું ભારતમાતાનું ચિત્ર ઉત્કૃષ્ટ તૈલચિત્ર ગણાય છે.
ઉત્તર:
ખોટું

54. બ્રિટિશ સરકારે રાજા રવિવર્માને ‘કલા-એ-હિંદ’નો ખિતાબ આપી સન્માન્યા હતા.
ઉત્તર:
ખોટું

55. રાજા રવિવર્મા કલાના રાજા અને દેશની અમૂલ્ય ધરોહર હતા.
ઉત્તર:
ખરું

56. ‘ગીતાંજલિ’ મહાકાવ્ય માટે રવીન્દ્રનાથ ટાગોરને નૉબેલ પારિતોષિક મળ્યું હતું.
ઉત્તર:
ખરું

57. કવિવર રવીન્દ્રનાથ ટાગોર આધુનિક ભારતીય ચિત્રકલાના ‘ભીષ્મપિતામહ’ કહેવાય છે.
ઉત્તર:
ખરું

58. અવનીન્દ્રનાથ ટાગોરનાં ચિત્રોમાં રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા જોવા મળે છે.

ઉત્તર:
ખરું

59. અવનીન્દ્રનાથ ટાગોરની ચિત્રશૈલીમાં ભારતીય વાતાવરણ અને ભાવુકતા જોવા મળતી હતી.
ઉત્તર:
ખરું

60. અવનીન્દ્રનાથ ટાગોરનાં જાપાનીઝ વૉશ પદ્ધતિથી દોરેલાં ચિત્રોમાં હિમાલયના પહાડી પ્રદેશનાં દશ્યો જોવા મળે છે.
ઉત્તર:
ખોટું

61. અવનીન્દ્રનાથ ટાગોરના સમયમાં અસ્તિત્વમાં આવેલી ચિત્રશૈલી ‘ટાગોર સ્કૂલ ઑફ આર્ટ’ શૈલી તરીકે નામના પામી હતી.
ઉત્તર:
ખોટું

4.  યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો.

આ પ્રશ્ન માટે એકમ - 14 આપત્તિ - વ્યવસ્થાપન માટે ટચ કરો 👉 અહીં ક્લિક કરો

5. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેનાં વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ

1. ભારતના ન્યાયતંત્રની ટોચ ઉપર ……………………………. અદાલત છે.
ઉત્તરઃ
સર્વોચ્ચ

2. તાલુકા મથકમાં આવેલી અદાલતને …………………………….. અદાલત પણ કહે છે.
ઉત્તરઃ
તાલુકા

૩. દીવાની (સિવિલ) મામલા માટે નીચલી કોર્ટ ………………………………. ન્યાયાધીશની કૉર્ટ હોય છે.
ઉત્તરઃ
સિવિલ

4. ફોજદારી મામલાની સૌથી નીચલી અદાલત ………………………………. મૅજિસ્ટ્રેટની હોય છે.
ઉત્તરઃ
ન્યાયિક (જ્યુડિશિયલ)

5. ન્યાયિક (જ્યુડિશિયલ) મૅજિસ્ટ્રેટે આપેલા ચુકાદા વિરુદ્ધ …………………………….. અદાલતમાં અપીલ કરી શકાય છે.
ઉત્તરઃ
જિલ્લા

6. જિલ્લા ન્યાયાધીશની નિમણુક રાજ્યપાલ …………………………… સાથે ચર્ચા-વિચારણા કરીને કરે છે.
ઉત્તરઃ
વડી અદાલત

7. જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ દીવાની દાવા ચલાવે ત્યારે હું તે ……………………………… કહેવાય છે.
ઉત્તરઃ
જિલ્લા ન્યાયાધીશ

8. જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ ફોજદારી મુકદ્દમા ચલાવે ત્યારે તે …………………….. કહેવાય છે.
ઉત્તરઃ
સેશન્સ ન્યાયાધીશ

9. તાબાની અદાલતના ચુકાદા સામે …………………………………. માં અપીલ કરી શકાય છે.
ઉત્તરઃ
વડી અદાલત

10. સામાન્ય રીતે દરેક રાજ્યમાં ……………………….. વડી અદાલત હોય છે.
ઉત્તરઃ
એક

11. ………………………………. તેની તાબાની અદાલતો અને સર્વોચ્ચ અદાલતને જોડતી કડી છે.
ઉત્તર:
વડી અદાલતો

12. બે કે તેથી વધુ રાજ્યો માટે …………………………. જ વડી અદાલત પણ હોઈ શકે છે.
ઉત્તર:
એક

13. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક ……………………… કરે છે.
ઉત્તર:
રાજ્યપાલ

14. વડી અદાલતના અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ સંબંધિત રાજ્યની વડી અદાલતના ……………………… સાથે મંત્રણા કરીને કરે છે.
ઉત્તર:
મુખ્ય ન્યાયાધીશ

15. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને રાજ્યના ‘…………………………..’ અથવા તેમણે આ સંબંધમાં નિમાયેલ વ્યક્તિ શપથ લેવડાવે છે.
ઉત્તર:
રાજ્યપાલ

16. વડી અદાલતનો વ્યવહાર ………………………….. ભાષામાં ચાલે છે.
ઉત્તર:
અંગ્રેજી

17. વડી અદાલતના અધિકારક્ષેત્રમાં ………………………….. અધિકાર ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
ઉત્તર:
ત્રણ

18. વડી અદાલત બંધારણની કલમ ……….. અનુસાર રાજ્યના સંદર્ભમાં નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની સત્તા ધરાવે છે.
ઉત્તર:
226

19. વડી અદાલતના ચુકાદા વિરુદ્ધ ……………………………………. અદાલતમાં અપીલ કરી શકાય છે.
ઉત્તર:
સર્વોચ્ચ

20. દેશની બધી અદાલતોમાં ………………………….. અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે.
ઉત્તર:
સર્વોચ્ચ

21. ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના 28 જાન્યુઆરી, …………..ના રોજ થઈ હતી.
ઉત્તર:
1950

22. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક ………………….. કરે છે.
ઉત્તર:
રાષ્ટ્રપ્રમુખ

23. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશની નિમણૂક સામાન્ય રીતે …………………………………. ના ધોરણે થાય છે.
ઉત્તર:
વરિષ્ઠતા (Seniority)

24. સર્વોચ્ચ અદાલતના દરેક ન્યાયાધીશને “ ……………………. શપથ ” લેવડાવે છે.
ઉત્તર:
રાષ્ટ્રપ્રમુખ

25. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવાની ૨ પ્રક્રિયા-વિધિ ……………………………. કહેવાય છે.
ઉત્તર:
મહાભિયોગ

26. સર્વોચ્ચ અદાલત ………………………….. ના અર્થઘટન માટે થયેલા ચુકાદા પરની અપીલો સાંભળે છે.
ઉત્તર:
બંધારણ

27. ………………………….. અદાલતના ચુકાદાને બીજી કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી.
ઉત્તર:
સર્વોચ્ચ

28. ……………………………………………. અદાલતમાં આવે તેવા તમામ પ્રકારના દાવાઓ સર્વોચ્ચ અદાલત સાંભળે છે.
ઉત્તર:
વડી

29. સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલા પોતાના નિર્ણય કે ચુકાદાની ……………………. કરવાની સત્તા છે.
ઉત્તર:
પુનઃસમીક્ષા

30. માર્શલ લૉ હેઠળ ……………………. અદાલતના નિર્ણય કે ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકતી નથી.
ઉત્તર:
લશ્કરી

31. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા નિર્ણયો કાયમી ……………………….. ગણાય છે.
ઉત્તર:
દસ્તાવેજ

32. ……………………………. નો ચુકાદો દેશની અન્ય તમામ અદાલતો માટે બંધનકર્તા છે.
ઉત્તર:
સર્વોચ્ચ અદાલત

૩૩. સર્વોચ્ચ અદાલત …………………………..અદાલત (Court of Records) ગણાય છે.
ઉત્તર:
નઝીરી છે

34. આપણા દેશનું ન્યાયતંત્ર ……………………………. ના સંરક્ષક અને વાલી તરીકે કામ કરે છે.
ઉત્તર:
બંધારણ

35. આપણા દેશનું ન્યાયતંત્ર કેન્દ્ર અને રાજ્ય સરકારોની ………………………….. નક્કી કરે છે.
ઉત્તર:
સત્તાની મર્યાદા

36. આપણા દેશના બંધારણમાં અને સરકાર કે વહીવટી તંત્રની અસરમાંથી ...............મુક્ત અને સ્વતંત્ર રાખવામાં આવેલ છે.
ઉત્તર:
ન્યાયતંત્ર

37. દેશના ન્યાયતંત્રને વધારે ............... બનાવવામાં ‘જાહેર હિતની અરજી’નો ફાળો મોટો છે.
ઉત્તર:
લોકાભિમુખ

38. ગુજરાત સરકારના કાયદા વિભાગે અદાલતના કેસોનું ભારણ ઘટાડવા માટે ............ નું આયોજન કર્યું છે.
ઉત્તર:
લોકઅદાલતો

39. ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા ………………………. કાર્યરત છે.
ઉત્તર:
લોકઅદાલતો

40. ગુનાની પ્રથમ દર્શાય અથવા પ્રથમ માહિતી નોંધને ……….. કહેવામાં આવે છે.
ઉત્તર:
FIR

41. FIR નોંધાવવા માટે પોલીસ-સ્ટેશનમાં ………………………… રીતે પણ ફરિયાદ કરી શકાય છે.
ઉત્તરઃ
મૌખિક

42. ભારતના બંધારણમાં ……………………………. ની સ્વાયત્તતાનું રક્ષણ કરવામાં આવ્યું છે.
ઉત્તરઃ
ન્યાયતંત્ર

43. ભારતમાં બહુચર્ચિત એવા …………………………. ના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણની ચર્ચા કરી હતી.
ઉત્તરઃ
કેશવાનંદ ભારતી

44. જસ્ટીસ પુટ્ટાસ્વામી વિરુદ્ધ ભારત સરકારના કેસના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નાગરિકોના …………………………… ના અધિકારોનું રક્ષણ કરવા જણાવ્યું હતું.
ઉત્તરઃ
ગોપનીયતા

45. હાલમાં શાળાઓમાં ચાલતી ……………………….. યોજનામાં અદાલતના ચુકાદાનો આધાર લેવામાં આવ્યો છે.
ઉત્તરઃ
મધ્યાહન ભોજન

👌new info guru👌

6.  નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપોઃ

પ્રશ્ન 1.
માનવીની અભિવ્યક્તિનું માધ્યમ કયું છે? શા માટે?
ઉત્તરઃ
માનવીની અભિવ્યક્તિનું માધ્યમ કલા છે, કારણ કે તેના દ્વારા માનવચિત્ત અને સમાજનું દર્શન થાય છે.

પ્રશ્ન 2.
કલાના વિભાગો કેટલા છે? કયા કયા?
ઉત્તર:
કલાના બે વિભાગો છે:

  1. દશ્યકલા અને
  2. પ્રદર્શિત કલા.

પ્રશ્ન 3.
દશ્યકલાઓ અને પ્રદર્શિત કલાઓમાં કઈ કઈ કલાઓનો સમાવેશ થાય છે?
ઉત્તર:
દશ્યકલાઓમાં ચિત્રકલા, શિલ્પકલા અને હસ્તકલાનો તથા પ્રદર્શિત કલાઓમાં સંગીતકલા, નૃત્યકલા, વાદ્યકલા અને નાટ્યકલાનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 4.
સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ કયું છે?
ઉત્તર:
સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ કલા છે.

પ્રશ્ન 5.
ભારતીય કલા કયાં કયાં તત્ત્વો સાથે સુયોજિત છે?
ઉત્તર:
ભારતીય કલા વૈશ્વિકતા, વિવિધતામાં એકતા અને ધર્મનિરપેક્ષતાનાં તત્ત્વો સાથે સુયોજિત છે.

પ્રશ્ન 6.
શરૂઆતથી જ ચિત્રકલાના કેન્દ્રમાં કયા કયા વિષયો રહ્યા છે?
ઉત્તર:
શરૂઆતથી જ ચિત્રકલાના કેન્દ્રમાં ધર્મગ્રંથોમાં આવતા પ્રસંગો, દેવી-દેવતાઓ, પશુ-પક્ષીઓ, વ્યક્તિઓ, સામાજિક રીતરિવાજો વગેરે વિષયો રહ્યા છે.

પ્રશ્ન 7.
પ્રાચીન ભારતની કઈ વિશ્વવિદ્યાલયોમાં કલાશિક્ષણ અપાતું હતું?
ઉત્તર:
પ્રાચીન ભારતની તક્ષશિલા અને નાલંદા વિશ્વવિદ્યાલયોમાં કલાશિક્ષણ અપાતું હતું.

પ્રશ્ન 8.
ભુજમાં કલાશાળા કોણે શરૂ કરી હતી? ક્યારે?
ઉત્તર:
ભુજમાં કલાશાળા કચ્છના મહારાજા પ્રાગમલજીએ ઈ. સ. 1877 – 1878માં શરૂ કરી હતી.

પ્રશ્ન 9.
અમદાવાદમાં કલાશાળાની સ્થાપના ક્યાં, ક્યારે અને શા માટે કરવામાં આવી હતી?
ઉત્તર:
અમદાવાદમાં કલાશાળા શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલય(શેઠ સી. એન. વિદ્યાલય)માં ઈ. સ. 1951માં શિક્ષકોને ચિત્રકલાની તાલીમ આપવા માટેનો અભ્યાસક્રમ PTC (Drawing Teacher Certificate) શરૂ કરવા સ્થાપના કરવામાં આવી હતી.

પ્રશ્ન 10.
અમદાવાદની ‘કલાશાળા’ના પ્રથમ આચાર્ય બનવાનું બહુમાન કોને ફાળે જાય છે?
ઉત્તર:
અમદાવાદની ‘કલાશાળા’ના પ્રથમ આચાર્ય બનવાનું બહુમાન કલાકાર શ્રી રસિકલાલ પરીખને ફાળે જાય છે.

પ્રશ્ન 11.
શેઠ સી. એન. વિદ્યાલયમાં સ્થપાયેલી ‘કલાશાળા’નું કયા નામમાં રૂપાંતર થયું? ક્યારે થયું?
ઉત્તર:
શેઠ સી. એન. વિદ્યાલયમાં સ્થપાયેલી ‘કલાશાળા’નું ઈ. સ. 1960માં ‘મહાકલા વિદ્યાલય’ નામમાં રૂપાંતર થયું.

પ્રશ્ન 12.
ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ કેટલો જૂનો છે?
ઉત્તર:
ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ પાષાણયુગ જેટલો જૂનો છે.

પ્રશ્ન 13.
ઈ. સ. પૂર્વે 7000ના કાળમાં કયા પ્રદેશની કઈ ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યાં છે?
ઉત્તર:
ઈ. સ. પૂર્વે 7000ના કાળમાં મધ્ય પ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યાં છે.

પ્રશ્ન 14.
કઈ ગુફાઓનાં ચિત્રો ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે?
ઉત્તર:
ઈ. સ. પૂર્વે 7000ના કાળના મધ્ય પ્રદેશની ભીમબેટકાની ગુફાઓનાં ચિત્રો ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે.

પ્રશ્ન 15.
ઈ. સ. પૂર્વે 2000ની આસપાસનાં ચિત્રો કઈ ગુફાઓમાંથી મળી આવ્યાં છે?
ઉત્તર:
ઈ. સ. પૂર્વે 2000ની આસપાસનાં ચિત્રો મહારાષ્ટ્રના નરસિંહગઢની ગુફાઓમાંથી મળી આવ્યાં છે.

પ્રશ્ન 16.
ઈ. સ. પૂર્વેની આસપાસનાં ચિત્રો ક્યાં ક્યાં જોવા મળે છે?
ઉત્તરઃ
ઈ. સ. પૂર્વેની આસપાસનાં ચિત્રો ગુફાઓમાં તેમજ ભોજપત્રો અને શિલાઓ પર તથા મંદિરો અને મઠોની દીવાલો પર જોવા મળે છે.

પ્રશ્ન 17.
ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય કોને ગણાવી શકાય?
ઉત્તર
ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગુપ્તયુગને ગણાવી શકાય.

પ્રશ્ન 18.
ગુપ્તયુગ દરમિયાન કયાં વિશ્વવિખ્યાત ચિત્રોનું નિર્માણ થયું હતું? એ ચિત્રોના કેન્દ્રમાં કયો વિષય હતો?
ઉત્તર:
ગુપ્તયુગ દરમિયાન અજંતા અને ઇલોરાની વિશ્વવિખ્યાત ચિત્રોનું નિર્માણ થયું હતું. એ ચિત્રોના કેન્દ્રમાં બૌદ્ધધર્મની જાતક કથાઓનો વિષય હતો.

પ્રશ્ન 19.
અજંતાની ગુફાઓમાં કઈ ગુફાઓનાં ચિત્રો ખૂબ જ વિખ્યાત થયાં છે? એ ચિત્રોમાં કયું ચિત્ર પ્રખ્યાત છે?
ઉત્તરઃ
અજંતાની ગુફાઓમાં ગુફા નં. 9 અને નં. 10નાં ચિત્રો ખૂબ જ વિખ્યાત થયાં છે. એ ચિત્રોમાં પદ્મપાણિ બુદ્ધનું ચિત્ર પ્રખ્યાત છે.

પ્રશ્ન 20.
ભારતીય ચિત્રકલા દેશમાં ક્યાં સુધી ફેલાયેલી હતી?
ઉત્તર:
ભારતીય ચિત્રકલા દેશમાં ઉત્તર ભારતથી દક્ષિણ ભારત સુધી ફેલાયેલી હતી.

પ્રશ્ન 21.
ભારતમાં ક્યા કયા પ્રદેશની કઈ કઈ ગુફાઓમાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે?
ઉત્તર:
ભારતમાં કર્ણાટકમાં આવેલી બાદામીની ગુફામાંથી અને તમિલનાડુના કાંચીપુરમમાં આવેલી સિત્તાનાવસલની ગુફામાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે.

પ્રશ્ન 22.
ભારતનાં મહાકાવ્યોને ચિત્રો દ્વારા ક્યાં સુશોભિત કરવામાં આવ્યાં છે?
ઉત્તર:
ભારતનાં મહાકાવ્યોને દક્ષિણ ભારતમાં થંજાવુર ખાતે આવેલ બૃહદેશ્વર મંદિરની દીવાલો પર સુશોભિત કરવામાં આવ્યાં છે.

પ્રશ્ન 23.
કયા મુઘલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી?
ઉત્તરઃ
મુઘલ બાદશાહ જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના કરી હતી.

પ્રશ્ન 24.
ઈ. સ. 1750 પછીના ભારતમાં કોણે, કઈ શૈલીની ચિત્રકલા વિકસાવી હતી?
ઉત્તર:
ઈ. સ. 1750 પછીના ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ અર્ધ પાશ્ચાત્ય શૈલીની ચિત્રકલા વિકસાવી હતી.

પ્રશ્ન 25.
કોનાં, કયાં ચિત્રોથી ભારતમાં અર્ધ પાશ્ચાત્ય ચિત્રશૈલીનો વિકાસ થયો?
ઉત્તર:
ચિત્રકાર શેખ ઝીયાઉદીનનાં ‘લેડી ઈમ્પ’ માટે કરેલ પક્ષી અધ્યયનનાં ચિત્રોથી અને ગુલામઅલી ખાંએ ‘વિલિયમ ફ્રેઝર’ તથા ‘કર્નલ સ્કીનર’ માટે કરેલ વ્યક્તિ ચિત્રોથી અર્ધ પાશ્ચાત્ય ચિત્રશૈલીનો વિકાસ થયો.

પ્રશ્ન 26.
કયા ચિત્રકારે, કયા વિષયનાં ઉત્કૃષ્ટ તૈલચિત્રો બનાવ્યાં છે?
ઉત્તર:
ચિત્રકલા ક્ષેત્રે ટોચનું નામ ધરાવનાર મહાન ચિત્રકાર રાજા રવિવર્માએ ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયનાં ઉત્કૃષ્ટ તૈલચિત્રો બનાવ્યાં છે.

પ્રશ્ન 27.
રાજા રવિવર્માનું કયું તૈલચિત્ર પ્રખ્યાત થયું છે?
ઉત્તર:
રાજા રવિવર્માનું દેવી સરસ્વતીનું તૈલચિત્ર પ્રખ્યાત થયું છે.

પ્રશ્ન 28.
ભારતમાં 19મી સદીમાં ક્યાં ક્યાં, કઈ કઈ સંસ્થાઓની સ્થાપના થઈ? ક્યારે થઈ?
ઉત્તર:
ભારતમાં 19મી સદીમાં ઈ. સ. 1858માં મુંબઈમાં સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટની અને ઈ. સ. 1890માં વડોદરામાં ‘કલાભવન’ની સ્થાપના થઈ.

પ્રશ્ન 29.
ઈ. સ. 1901માં બંગાળમાં કઈ કલાસંસ્થા સ્થપાઈ?
ઉત્તર:
ઈ. સ. 1901માં બંગાળમાં ‘શાંતિનિકેતન’ નામની કલાસંસ્થા સ્થપાઈ.

પ્રશ્ન 30.
પ્રગતિશીલ કલાકાર સંઘની સ્થાપના ક્યારે, કોના નેતૃત્વમાં કોણે કોણે કરી?
ઉત્તર:
પ્રગતિશીલ કલાકાર સંઘની સ્થાપના ઈ. સ. 1948માં ફ્રાન્સિસ ન્યૂટન સૂઝાના નેતૃત્વમાં એસ. એચ. રઝા અને એસ. કે. બાકરે કરી.

પ્રશ્ન 31.
ઈ. સ. 1950માં ક્યાં ક્યાં ચિત્રશાળાઓની સ્થાપના કરવામાં આવી?
ઉત્તર:
ઈ. સ. 1950માં કોલકાતા અને મુંબઈમાં ચિત્રશાળાઓની સ્થાપના કરવામાં આવી.

પ્રશ્ન 32.
‘મદ્રાસ સ્કૂલ ઑફ આર્ટ’ની સ્થાપના ક્યાં, કોણે કરી હતી?
ઉત્તર:
‘મદ્રાસ સ્કૂલ ઑફ આર્ટી’ની સ્થાપના ચેન્નઈમાં કે. સી. એસ. પાણિકર અને દેવીપ્રસાદ રૉય ચૌધરીએ કરી હતી.

પ્રશ્ન 33.
આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ કઈ કલાસંસ્થામાં આવેલ છે?
ઉત્તરઃ
આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ દિલ્લીમાં આવેલ ‘નૅશનલ ગૅલરી ઑફ મોડર્ન આર્ટ’ નામની કલાસંસ્થામાં આવેલ છે.

પ્રશ્ન 34.
કલાના વિકાસ માટે સ્વતંત્ર ભારતમાં કઈ કલાસંસ્થા અગત્યનું સ્થાન ધરાવે છે?
ઉત્તર:
કલાના વિકાસ માટે સ્વતંત્ર ભારતમાં નૅશનલ ગૅલરી ઑફ મોડર્ન આર્ટ નામની કલાસંસ્થા અગત્યનું સ્થાન ધરાવે છે.

પ્રશ્ન 35.
ભારતીય ચિત્રશૈલીમાં મુખ્યત્વે ગુફા ચિત્રશૈલી અને શિલા ચિત્રશૈલીમાં કયાં કયાં ચિત્રોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
ભારતીય ચિત્રશૈલીમાં મુખ્યત્વે ગુફા ચિત્રશૈલીમાં આદિમાનવે દોરેલા ચિત્રોનો અને ઈસુની 9મી સદી સુધીની અજંતા-ઇલોરા જેવી ગુફાઓનાં ચિત્રોનો સમાવેશ થાય છે; જ્યારે શિલા ચિત્રશૈલીમાં શિલાઓ પર દોરેલા ચિત્રોનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 36.
ધર્મ આધારિત પ્રાચીન ચિત્રશૈલીઓમાં કઈ કઈ ચિત્રશૈલીઓનો સમાવેશ થાય છે? એ શૈલીઓનાં ચિત્રો ક્યાં જોવા મળે છે?
ઉત્તરઃ
ધર્મ આધારિત પ્રાચીન ચિત્રશૈલીઓમાં હિંદુ, બૌદ્ધ અને જેન ચિત્રશૈલીઓનો સમાવેશ થાય છે. એ શૈલીઓનાં ચિત્રો ધર્મસ્થાનોની દીવાલો પર જોવા મળે છે.

પ્રશ્ન 37.
કઈ કઈ ચિત્રશૈલીઓનો વિકાસ થયેલો જોવા મળે છે?
ઉત્તર:
ભીંત ચિત્રશૈલી, ભોંયતળિયે દોરવામાં આવતી રંગોળી અથવા સુશોભનની કલા, લઘુ ચિત્રકલા શૈલી, કાપડ ચિત્રશૈલી વગેરે ચિત્રશૈલીઓનો વિકાસ થયેલો જોવા મળે છે.

પ્રશ્ન 38.
આધુનિક સમયમાં કઈ કઈ ચિત્રશૈલીઓ વિકસી છે? તેમાં શું જોવા મળે છે?
ઉત્તરઃ
આધુનિક સમયમાં ઑઇલ પેઇન્ટિંગ, એ પેઇન્ટિંગ, કેનવાસ પેઇન્ટિંગ વગેરે ચિત્રશૈલીઓ વિકસી છે. તેમાં બહુરંગી પરિમાણીય (મલ્ટિકલર ડાયમેન્શન) જોવા મળે છે.

પ્રશ્ન 39.
પાલ ચિત્રશૈલીનો મુખ્ય કયો વિષય રહ્યો છે? તેમાં કોનાં ચિત્રો જોવા મળે છે?
ઉત્તરઃ
પાલ ચિત્રશૈલીનો મુખ્ય વિષય બૌદ્ધધર્મનો મહાયાન સંપ્રદાય રહ્યો છે. તેમાં ભગવાન બુદ્ધની જાતક કથાઓ અને બોધિસત્ત્વનાં ચિત્રો જોવા મળે છે.

પ્રશ્ન 40.
જૈન શૈલીનો વિકાસ ક્યારથી અને કયા કયા પ્રદેશોમાં થયો હતો? જૈન શૈલીમાં કયા પ્રકારનાં ચિત્રો આલેખાયેલાં છે?
ઉત્તર:
જૈન શૈલીનો વિકાસ ઈસુની 12મી સદીથી ગુજરાત, રાજસ્થાન અને માળવાના પ્રદેશોમાં થયો હતો. જૈન શૈલીનાં ચિત્રો તાડપત્રો અને હસ્તપ્રતો પર આલેખાયેલાં લઘુચિત્રો છે.

પ્રશ્ન 41.
કયા ગ્રંથોમાં જૈન શૈલીનાં ચિત્રો મૂકવામાં આવ્યાં છે?
ઉત્તર:
જેનધર્મના કલ્પસૂત્ર, કથાસરિતસાગર અને કાલકાચાર્ય કથા નામના ગ્રંથોમાં જૈન શૈલીનાં લઘુચિત્રો મૂકવામાં આવ્યાં છે.

પ્રશ્ન 42.
રાજપૂત ચિત્રશૈલી કોના આશ્રય નીચે, ક્યારે પ્રચલિત થઈ હતી? :
ઉત્તર:
રાજપૂત ચિત્રશૈલી રાજસ્થાન અને મધ્ય પ્રદેશના રાજાઓના આશ્રય નીચે ઈસુની 10મીથી 16મી સદી દરમિયાન વિકસિત થઈ હતી.

પ્રશ્ન 43.
રાજપૂત ચિત્રશૈલીમાં ક્યા ક્યા વિષયો કેન્દ્રસ્થાને રહ્યા છે?
ઉત્તરઃ
રાજપૂત ચિત્રશૈલીમાં રાજપૂત રાજાઓનું જીવન, તેમના રીતરિવાજો, પહેરવેશ, ઉત્સવો તેમજ રાધાકૃષ્ણ, કૃષ્ણભક્તિ, રાસલીલા, રાજસ્થાની લોકજીવન વગેરે વિષયો કેન્દ્રસ્થાને રહ્યા છે.

પ્રશ્ન 44.
રાજપૂત ચિત્રશૈલી રાજસ્થાની ચિત્રશૈલી તરીકે શાથી ઓળખાય છે?
ઉત્તર:
રાજપૂત ચિત્રશૈલી રાજસ્થાનના બુંદી, કિશનગઢ, બિકાનેર અને જોધપુરમાં વિકાસ પામી હોવાથી તે રાજસ્થાનની ચિત્રશૈલી તરીકે પણ ઓળખાય છે.

પ્રશ્ન 45.
મુઘલ સમ્રાટો શાના ખૂબ પ્રેમી હતા?
ઉત્તર:
મુઘલ સમ્રાટો ચિત્રકલાના ખૂબ પ્રેમી હતા.

પ્રશ્ન 46.
કયા કયા મુઘલ સમ્રાટોએ ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું હતું?
ઉત્તર:
બાબરથી શાહજહાં સુધીના મુઘલ સમ્રાટોએ ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું હતું.

પ્રશ્ન 47.
મુઘલ ચિત્રશૈલી કેવી રીતે અસ્તિત્વમાં આવી હતી?
ઉત્તર:
મુઘલ ચિત્રશૈલી ભારતીય અને ઈરાની ચિત્રશૈલીના સમન્વયથી અસ્તિત્વમાં આવી હતી.

પ્રશ્ન 48.
મુઘલ સમ્રાટ અકબરના સમયમાં કેવાં ચિત્રો બનાવવાની શરૂઆત થઈ?
ઉત્તર:
મુઘલ સમ્રાટ અકબરના સમયમાં ગ્રંથચિત્રો અને વ્યક્તિચિત્રો બનાવવાની શરૂઆત થઈ.

પ્રશ્ન 49.
કયા મુઘલ બાદશાહના સમયમાં મુઘલ શૈલી તેના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી?
ઉત્તર:
મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં મુઘલ શૈલી તેના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી.

પ્રશ્ન 50.
મુઘલ સમ્રાટ જહાંગીરના દરબારમાં ક્યા ચિત્રકારો હતા?
ઉત્તરઃ
મુઘલ સમ્રાટ જહાંગીરના દરબારમાં મજૂર અને બિશનદાસ જેવા ચિત્રકારો હતા.

પ્રશ્ન 51.
ભારતમાં મુઘલયુગ દરમિયાન કયા કયા પ્રકારનાં ચિત્રો તૈયાર થયાં હતાં?
ઉત્તર:
ભારતમાં મુઘલયુગ દરમિયાન પશુ-પંખીનાં ચિત્રો અને કુદરતી દશ્યોનાં ચિત્રો તેમજ રાજદરબારનાં, યુદ્ધનાં, શિકારનાં અને પ્રાણીઓની સાઠમારીનાં ચિત્રો તૈયાર થયાં હતાં.

પ્રશ્ન 52.
મુઘલ ચિત્રકલાનાં કેન્દ્રમાં શાહી ઠઠ શાથી જોવા મળે છે?
ઉત્તર:
મુઘલ ચિત્રકલા દરબારી કલા હોવાથી તેના કેન્દ્રમાં શાહી ઠાઠ જોવા મળે છે.

પ્રશ્ન 53
કાંગડા ચિત્રશૈલી ક્યાં, કોણે વિકસાવી હતી?
ઉત્તર:
કાંગડા ચિત્રશૈલી હિમાલયના પહાડી પ્રદેશોમાં રાજસ્થાનના ચિત્રકારો અને મુઘલ ચિત્રકારોએ વિકસાવી હતી.

પ્રશ્ન 54.
કાંગડા ચિત્રશૈલીનાં મુખ્ય કેન્દ્રો કયાં કયાં હતાં?
ઉત્તર:
કાંગડા, કુલું, ગઢવાલ, ચંબા, મંડી વગેરે કાંગડા ચિત્રશૈલીનાં મુખ્ય કેન્દ્રો હતાં.

પ્રશ્ન 55.
કાંગડા ચિત્રશૈલીનો મહાન ચિત્રકાર કોણ હતો?
ઉત્તર:
મોલારામ કાંગડા ચિત્રશૈલીનો મહાન ચિત્રકાર હતો.

પ્રશ્ન 56.
કાંગડા ચિત્રશૈલીના મુખ્ય વિષયો કયા કયા હતા?
ઉત્તર:
ભગવાન શ્રીકૃષ્ણ અને કૃષ્ણભક્તિ તેમજ હિમાલયનું સૌંદર્ય વગેરે કાંગડા ચિત્રશૈલીના મુખ્ય વિષયો હતા.

પ્રશ્ન 57.
ભારતના નામાંકિત ચિત્રકારો કયા કયા છે?
ઉત્તરઃ
રાજા રવિવર્મા, કવિવર રવીન્દ્રનાથ ટાગોર વગેરે ? ભારતના નામાંકિત ચિત્રકારો છે.

પ્રશ્ન 58.
ગુજરાતના નામાંકિત ચિત્રકારો કયા કયા છે?
ઉત્તરઃ
કલાગુરુ રવિશંકર રાવળ, રસિકલાલ પરીખ અને રમેશભાઈ પંડ્યા એ ગુજરાતના નામાંકિત ચિત્રકારો છે.

પ્રશ્ન 59.
રવિશંકર રાવળે કયા સ્થળને પોતાની કર્મભૂમિ બનાવી હતી?
ઉત્તર:
રવિશંકર રાવળે મુંબઈમાં કલાશિક્ષણ મેળવીને અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી હતી.

પ્રશ્ન 60.
રવિશંકર રાવળે તેમનું કયું ચિત્ર કયા કલા પ્રદર્શનમાં રજૂ કર્યું હતું? એ ચિત્રને કયું પારિતોષિક મળ્યું હતું?
ઉત્તરઃ
રવિશંકર રાવળે તેમનું ‘બિલ્વમંગળ’ ચિત્ર બૉમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં રજૂ કર્યું હતું. એ ચિત્રને સુવર્ણપદક મળ્યું હતું.

પ્રશ્ન 61.
બૉમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર કોણ હતા?
ઉત્તર:
બૉમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર કલાગુરુ રવિશંકર રાવળ હતા.

પ્રશ્ન 62.
‘બિલ્વમંગળ’ ચિત્ર કયા રંગોમાં કરેલ હતું?
ઉત્તરઃ
‘બિલ્વમંગળ’ ચિત્ર રાજપૂત શૈલીની ઢબે સપાટ રંગોમાં કરેલ હતું.

પ્રશ્ન 63.
‘કુમાર’ નામના માસિકનો પ્રારંભ ક્યારે, કોણે કર્યો હતો? ‘કુમાર’ માસિકથી લોકોને શો ફાયદો થયો?
ઉત્તર:
ઈ. સ. 1924માં કલાગુરુ રવિશંકર રાવળે ‘કુમાર’ નામના માસિકનો પ્રારંભ કર્યો હતો. ‘કુમાર’ માસિકથી લોકોને કલાકારો અને તેમનાં ચિત્રોનો પરિચય થયો.

પ્રશ્ન 64.
રવિશંકર રાવળે ચિત્રકલા ક્ષેત્રે શું પ્રદાન કર્યું હતું?
ઉત્તર:
રવિશંકર રાવળે લોકોમાં કલાના સંસ્કાર આપ્યા અને કલા પ્રત્યે લોકોમાં રસવૃત્તિ અને જાગૃતિ કેળવી. તેમણે પોતાને ત્યાં ગુજરાત કલા સંઘની સ્થાપના કરીને યુવા પેઢીને મફત ચિત્રતાલીમ આપી હતી.

પ્રશ્ન 65.
કઈ ઐતિહાસિક ઘટના જોઈને રવિશંકર રાવળે તેનું શીધ્ર ચિત્ર દોર્યું હતું?
ઉત્તરઃ
12મી માર્ચ, 1922ના રોજ અમદાવાદની કોર્ટ(હાલમાં શાહીબાગમાં આવેલું સર્કિટ હાઉસ)માં ગાંધીજી અને શંકરલાલ બૅન્કર પર રાજદ્રોહના આરોપનો જે મુકદમો ચાલતો હતો તે ઐતિહાસિક ઘટના જોઈને રવિશંકર રાવળે તેનું શીધ્ર ચિત્ર દોર્યું હતું.

પ્રશ્ન 66.
રાજા રવિવર્માનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો?
ઉત્તર :
રાજા રવિવર્માનો જન્મ ઈ. સ. 1848માં કેરલ રાજ્યના કિલિમનુર ગામમાં એક રાજવી કુટુંબમાં થયો હતો.

પ્રશ્ન 67.
રવિવર્મા, રાજા રવિવર્મા તરીકે શાથી ઓળખાયા?
ઉત્તરઃ
રવિવર્માનો જન્મ કેરલના કિલિમનુર ગામમાં એક રાજવી કુટુંબમાં થયો હતો. તેથી તેઓ રાજા રવિવર્મા તરીકે ઓળખાયા.

પ્રશ્ન 68.
રાજા રવિવર્માએ કઈ રીતે પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી?
ઉત્તરઃ
રાજા રવિવર્માએ શ્રી રામાસ્વામી નાયડુ, થિયોડોર જેન્સન અને રાજવી કુટુંબમાંથી આવતા યુરોપિયન મહેમાન કલાકારો પાસેથી કલાનું શિક્ષણ અને માર્ગદર્શન મેળવીને પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી.

પ્રશ્ન 69.
રાજા રવિવર્માનાં ચિત્રો કેવાં હતાં? કેવાં ચિત્રો તૈયાર કરવામાં તેમની સિદ્ધિ અનન્ય હતી?
ઉત્તર:
રાજા રવિવર્માનાં ચિત્રો વાસ્તવદર્શી હતાં; તેમનાં 3 ચિત્રોમાં ભાવને બદલે દૈનિકનું પ્રાધાન્ય વધારે હતું. વ્યક્તિચિત્રો તૈયાર કરવામાં તેમની સિદ્ધિ અનન્ય હતી.

પ્રશ્ન 70.
રાજા રવિવર્માએ કોને કેન્દ્રમાં રાખીને તૈયાર કરેલાં કયાં કયાં તૈલચિત્રો ખૂબ પ્રશંસા પામ્યાં હતાં?
ઉત્તર:
રાજા રવિવર્માએ પૌરાણિક ધર્મગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં આલેખિત પ્રસંગો તથા પાત્રોને કેન્દ્રમાં રાખીને તૈયાર કરેલાં દેવી સરસ્વતી, વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શકુંતલા, પોટ્રેટ ઑફ લેડી વગેરે તૈલચિત્રો ખૂબ પ્રશંસા પામ્યાં હતાં.

પ્રશ્ન 71.
રાજા રવિવર્માએ ક્યારે, ક્યાં અને કયું પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું? એ પ્રેસમાં છપાતાં હિંદુ દેવી-દેવતાઓનાં ચિત્રોની શી ખાસિયત હતી?
ઉત્તરઃ
રાજા રવિવર્માએ ઈ. સ. 1894માં મુંબઈમાં ઘાટકોપરમાં એક લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું. એ પ્રેસમાં છપાતાં હિંદુ દેવી-દેવતાઓનાં ચિત્રો તેની ઓછી (સામાન્ય) કિંમતને કારણે સામાન્ય લોકો પણ ખરીદી શકતા હતા.

પ્રશ્ન 72.
રાજા રવિવર્માને કોણે કોણે નિમંત્રણ આપીને કેવાં ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં?
ઉત્તરઃ
રાજા રવિવર્માને વડોદરાના સર મહારાજા સયાજીરાવ ગાયકવાડે અને ભાવનગરના રાજાએ નિમંત્રણ આપીને રાજવી કુટુંબનાં અને કેટલાંક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં.

પ્રશ્ન 73.
રાજા રવિવર્માનાં ચિત્રો ક્યાં ક્યાં સચવાયેલાં છે?
ઉત્તરઃ
રાજા રવિવર્માનાં ચિત્રો ત્રિવેન્દ્રમના સંગ્રહાલયમાં, વડોદરાની ફતેહરાવ આર્ટ ગૅલરીમાં અને ભાવનગરના દરબારમાં સચવાયેલાં છે.

પ્રશ્ન 74.
બ્રિટિશ સરકારે રાજા રવિવર્માને કયો ખિતાબ આપીને સમ્માન કર્યું હતું?
ઉત્તર:
બ્રિટિશ સરકારે રાજા રવિવર્માને ‘કેસરે હિંદ’નો ખિતાબ આપીને સમ્માન કર્યું હતું.

પ્રશ્ન 75.
રાજા રવિવર્મા કેવું વ્યક્તિત્વ ધરાવતા હતા?
ઉત્તરઃ
રાજા રવિવર્મા કલાના રાજા અને દેશની અમૂલ્ય ધરોહર હતા.

પ્રશ્ન 76.
કવિવર રવીન્દ્રનાથ ટાગોરને કઈ રચના માટે કયા પારિતોષિકથી સમ્માનિત કરવામાં આવ્યા હતા?
ઉત્તર:
કવિવર રવીન્દ્રનાથને તેમના ગીતાંજલિ’ મહાકાવ્ય માટે નૉબેલ પારિતોષિકથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રશ્ન 77.
કવિવર રવીન્દ્રનાથે શાંતિનિકેતનને કઈ કઈ કલાઓનું સંગમતીર્થ બનાવ્યું હતું?
ઉત્તરઃ
કવિવર રવીન્દ્રનાથે શાંતિનિકેતનને સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્ર વગેરે કલાઓનું સંગમતીર્થ બનાવ્યું હતું.

પ્રશ્ન 78.
કયા કલાકારને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મપિતામહ તરીકે ઓળખવામાં આવે છે? શા માટે?
ઉત્તરઃ
કવિવર રવીન્દ્રનાથ ટાગોરને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મપિતામહ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમણે ભારતીય અને પાશ્ચાત્ય કલા જેવી પરંપરાગત કલાની 3 અસરમાંથી મુક્ત રહી પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી.

પ્રશ્ન 79.
રવીન્દ્રનાથ ટાગોરે કેટલાં ચિત્રોનું સર્જન કર્યું છે? એ ચિત્રોમાં શું શું જોવા મળે છે?
ઉત્તર:
રવીન્દ્રનાથ ટાગોરે 2000 કરતાં વધારે ચિત્રોનું સર્જન કર્યું છે. એ ચિત્રોમાં રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા જોવા મળે છે.

પ્રશ્ન 80.
રવીન્દ્રનાથ ટાગોરનાં ચિત્રો ક્યાં ક્યાં સંગૃહીત છે?
ઉત્તર:
રવીન્દ્રનાથ ટાગોરનાં ચિત્રો શાંતિનિકેતનમાં, રવીન્દ્રભવનમાં અને દિલ્લીની નેશનલ ગૅલરી ઑફ મોડર્ન આર્ટમાં સંગૃહીત છે.

પ્રશ્ન 81.
રવીન્દ્રનાથ ટાગોરની સર્જનાત્મક અભિવ્યક્તિને કોણે પ્રેરક બળ પૂરું પાડ્યું?
ઉત્તર:
રવીન્દ્રનાથ ટાગોરે ચિત્રકલાની પદ્ધતિસર તાલીમ લીધી નહોતી. આમ છતાં, તેમની તીવ્ર સંવેદના અને અંતઃ પ્રેરણાએ તેમની સર્જનાત્મક અભિવ્યક્તિને પ્રેરક બળ પૂરું પાડ્યું હતું.

પ્રશ્ન 82.
અવનીન્દ્રનાથ ટાગોરે કઈ કઈ ચિત્રશૈલીનો અભ્યાસ કર્યો હતો?
ઉત્તર:
અવનીન્દ્રનાથ ટાગોરે ભારતીય મુઘલ તાંજોર, ચાઈનીઝ અને જાપાનીઝ ચિત્રશૈલીઓનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો.

પ્રશ્ન 83.
અવનીન્દ્રનાથ ટાગોરે જાપાનીઝ વૉશ પદ્ધતિથી દોરેલાં ‘ ચિત્રોમાં શું જોવા મળે છે?
ઉત્તરઃ
અવનીન્દ્રનાથ ટાગોરે જાપાનીઝ વૉશ પદ્ધતિથી દોરેલાં ચિત્રોમાં વાતાવરણની ગહનતા અને પાત્રોની ભાવવાહિતા ધબતી જોવા મળે છે.

પ્રશ્ન 84.
અવનીન્દ્રનાથ ટાગોરના સમયમાં કઈ ચિત્રશૈલી અસ્તિત્વમાં આવી હતી?
ઉત્તર:
અવનીન્દ્રનાથ ટાગોરના સમયમાં બંગાળ સ્કૂલ ઑફ આર્ટ’ નામની ચિત્રશૈલી અસ્તિત્વમાં આવી હતી.


7. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો

પ્રશ્ન 1. અંગ્રેજોના આગમન પહેલાં ભારતમાં શિક્ષણની સ્થિતિ કેવી હતી?

પ્રાચીન ભારતમાં નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા વલભી વગેરે વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો (શિક્ષણ સંસ્થાઓ) હતી. અહીં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. અહીં અનેક – પ્રકારના વિષયો શીખવવામાં આવતા હતા. આ વિદ્યાપીઠોએ લગભગ 400-500 વર્ષ ભારતમાં વિદ્યાની જ્યોત જલતી રાખી હતી. આ વિદ્યાપીઠો ઈસુની 10મી અને 11મી સદીમાં અસ્ત પામી હતી. મુઘલયુગ દરમિયાન ભારતમાં મુખ્યત્વે અકબરના શાસન દરમિયાન ફારસી, ઉર્દૂ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણનો નોંધપાત્ર પ્રચાર-પ્રસાર થયો હતો. મુઘલયુગના પતન પછી હિંદુ ધર્મસ્થાનોમાં ચાલતી પાઠશાળાઓ અને મસ્જિદોમાં ચાલતી મદરેસાઓમાં શિક્ષણ અપાતું હતું. એ સમયના શિક્ષણનું સ્વરૂપ જૂનું અને મર્યાદિત હતું. તદુપરાંત, તેમાં માત્ર પ્રાથમિક કક્ષા સુધીના જ શિક્ષણની વ્યવસ્થા હતી. પરિણામે શિક્ષણનો વ્યાપ વધ્યો નહિ.

પ્રશ્ન 2. અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની કેવી વ્યવસ્થા હતી?
                           
     અથવા
ટૂંક નોંધ લખો અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની વ્યવસ્થા

અંગ્રેજોના આગમન સમયે ભારતમાં ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા નહોતી શિક્ષણ આપતી સંસ્થાઓ ગામઠી શાળાઓ, પંડ્યાની શાળાઓ કે ધૂળિયા નિશાળો તરીકે ઓળખાતી. વિદ્યાર્થીઓને ગામનાં જાહેર સ્થળો, વડ કે અન્ય મોટા વૃક્ષ નીચે બેસાડવામાં આવતા. અભ્યાસ માટે નિશ્ચિત અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો અને તાલીમ પામેલા શિક્ષકોની વ્યવસ્થા નહોતી.

શિક્ષક બાળકની કૌટુંબિક સ્થિતિ મુજબ તેને ઉપયોગી થાય તેવું | શિક્ષણ આપતા. શિક્ષણની શરૂઆત આંકથી કરવામાં આવતી. એ પછી કક્કો-મૂળાક્ષરો શીખવામાં આવતા. ત્યાર પછી લેખિત શિક્ષણની શરૂઆત કરવામાં આવતી. શિક્ષક પોતે જ અભ્યાસક્રમ નક્કી કરતા. શિક્ષકને નિશ્ચિત પગાર કે વેતન ન હતું. વિદ્યાર્થીના વાલી પોતાની આર્થિક સ્થિતિ મુજબ શિક્ષકને વેતન આપતા. શિક્ષણ મૌખિક હતું. વિદ્યાર્થીઓને અલગ અલગ ધોરણમાં બેસાડવાની વ્યવસ્થા નહોતી. બાળકને કયું શિક્ષણ આપવું તે શિક્ષક નક્કી કરતા.

આમ, અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની અનોખી પદ્ધતિ પ્રચલિત હતી.

પ્રશ્ન 3. ભારતમાં પ્રારંભિક શિક્ષણની વ્યવસ્થા કોણે, કઈ રીતે શરૂ કરી?

ભારતમાં પ્રારંભિક શિક્ષણની વ્યવસ્થા બ્રિટનથી આવેલા અંગ્રેજોએ શરૂ કરી. તેમણે ભારતમાં પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત કરી. ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના ઈ. સ. 1789માં વિલિયમ કેરેએ કોલકાતા પાસે આવેલ સિરામપુરમાં કરી. એ શિક્ષણ સંસ્થામાં વિદ્યાર્થીઓને અંગ્રેજી, સંસ્કૃત, બંગાળી, મરાઠી, હિંદી, વ્યાકરણ, રામાયણ વગેરે વિષયો શીખવવામાં આવતા. એ પછી માર્શમેન અને તેમનાં પત્નીએ સિરામપુરમાં 3 જ કન્યાશાળાની સ્થાપના કરી. આમ, મિશનરી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અંગ્રેજોએ બંગાળમાં શિક્ષણની વ્યવસ્થા કરી.


પ્રશ્ન 4. ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણની શરૂઆત કેવી રીતે થઈ ?

ભારતના કેટલાક અગ્રણી સુધારકો અને અંગ્રેજ અધિકારીઓ સમગ્ર ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ શરૂ કરવાના હિમાયતી હતા; જ્યારે કેટલાક હિંદુઓ અને મુસ્લિમો અનુક્રમે પાઠશાળાઓ અને મદરેસાઓમાં જ શિક્ષણ આપવું જોઈએ તેમ માનતા હતા.

ઈ. સ. 1813ના સનદી ધારાથી ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની પરવાનગી આપવામાં આવી. આ કાયદા અન્વયે શિક્ષણ માટે પ્રતિવર્ષ 1 લાખ રૂપિયા વાપરવાનું નક્કી થયું. એલેક્ઝાન્ડર ડફ નામના પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી. જોકે, આ સમય દરમિયાન શિક્ષણક્ષેત્રે અરબી, ફારસી વગેરેનું શિક્ષણ આપવાની પરંપરાગત અસ્તિત્વમાં રહી.

ઈ. સ. 1833ના સનદી ધારા અન્વયે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપવા તૈયાર થઈ. એ સાથે તેણે જાહેર કર્યું કે હવે પછી માત્ર અંગ્રેજી શિક્ષણને ઉત્તેજન આપવા માટે જ શૈક્ષણિક સંસ્થાને નાણાકીય મદદ આપવામાં આવશે.

ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકને ફાળે જાય છે. ઈ. સ. 1935 પછી ભારતમાં કોલકાતા, મુંબઈ, મદ્રાસ (ચેન્નઈ), ઉત્તર ભારત, પંજાબ અને પશ્ચિમ ભારત સહિત મોટા ભાગના વિસ્તારોમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થયો. આમ છતાં, હજુ ગામડાંઓ અને કસબાઓમાં પરંપરાગત શિક્ષણ વ્યવસ્થા ચાલતી હતી. અંગ્રેજ વહીવટીતંત્રમાં – અંગ્રેજી શિક્ષણ પામેલ લોકોને નોકરીઓ મળતી હોવાથી દેશની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઓછી થવા લાગી. મુંબઈમાં એલ્ફિન્સ્ટન, મદ્રાસ(ચેન્નાઈ)માં મુનરો અને ઉત્તર ભારતમાં થોમસનના પ્રયત્નોથી શાળાઓ અને મહાશાળાઓની સંખ્યામાં ઘણો વધારો થયો. ઉત્તર પ્રદેશમાં પ્રાથમિક શિક્ષણના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો.

પ્રશ્ન 5. ઈ. સ. 1889ના હન્ટર કમિશને કઈ કઈ ભલામણો કરી? વીસમી સદીના પ્રારંભમાં ભારતમાં શિક્ષણનું પ્રમાણ કેવું હતું?

ઈ. સ. 1882ના હન્ટર કમિશને શિક્ષણનો વ્યાપ વધારવા પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ આપવાની જવાબદારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સોંપવાની ભલામણ કરી. આ ઉપરાંત, એ કમિશને પ્રાંતિક આવકના નાણાંનો અમુક ટકા ભાગ શિક્ષણ પાછળ ખર્ચવાની ભલામણ કરી. હન્ટર કમિશને કરેલી ભલામણો અંતર્ગત અંગ્રેજ સરકારે બિનસરકારી શિક્ષણ સંસ્થાઓને મહત્ત્વ આપ્યું. એમના સંચાલન માટે ઉદાર નિયમો બનાવ્યા તેમજ તેમને પુસ્તકાલયો વસાવવાની અને શિક્ષણ-ફી લેવાની મંજૂરી આપી.

પ્રશ્ન 6. ઈ. સ. 1917થી ઈ. સ. 1936 દરમિયાન ભારતમાં શિક્ષણક્ષેત્રે શી સ્થિતિ હતી?

ઈ. સ. 1917ના સેંડલર કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવાની ભલામણ કરી. ઈ. સ. 1919ના મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ કાયદામાં પ્રાંતોમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના વિકાસ માટે શિક્ષણખાનું ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપવાની જોગવાઈ કરવામાં આવી. ઈ. સ. 1922માં ગોપાલકૃષ્ણ ગોખલેએ ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચવ્યું હતું, પરંતુ અંગ્રેજ સરકારે તેમના સૂચનનો અસ્વીકાર કર્યો. ઈ. સ. 1936 સુધી ભારતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સંખ્યા વધી હતી. પરંતુ તેમાં અંગ્રેજ સરકારનો પોતાનો સ્વાર્થ હતો. તેણે તો માત્ર ઓછા વેતને કારકુનો મેળવવા ભારતીયોને માત્ર પાયાનું શિક્ષણ મળે તેટલા પૂરતો જ પ્રયત્ન કર્યો હતો. અંગ્રેજ સરકારે દેશના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલૉજીનું જ્ઞાન મળે તેમજ તેમનામાં વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય એવા કોઈ મહત્ત્વના શિક્ષણની વ્યવસ્થા નહોતી કરી. પરિણામે ભારત વિશ્વમાં શિક્ષણક્ષેત્રે ઘણું પછાત રહી ગયું.


પ્રશ્ન 7. અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણક્ષેત્રે શી સ્થિતિ હતી?

અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં પાશ્ચાત્ય ઢબે ઉચ્ચ શિક્ષણની ક્રમશઃ શરૂઆત થઈ.

  • સરકારી વહીવટીતંત્ર માટે શિક્ષિત કર્મચારીઓ મેળવવા ગવર્નર જનરલ વૉરન હેસ્ટિંગ્સ ઈ. સ. 1780માં કોલકાતા મદરેસા કૉલેજ(મુસ્લિમ કૉલેજ)ની અને જોનાથન ડંકને ઈ. સ. 1791માં બનારસ સંસ્કૃત કૉલેજની સ્થાપના કરી હતી.
  • ગવર્નર જનરલ લૉર્ડ વેલેસ્લીએ ઈ. સ. 1801માં કોલકાતામાં ફૉર્ટ વિલિયમ કૉલેજ સ્થાપી હતી.
  • ઈ. સ. 1817માં ડેવિડ હેર અને વૈદ્યનાથ મુખરજીના પ્રયત્નોથી કોલકાતામાં હિંદુ કૉલેજ સ્થપાઈ હતી. એ કૉલેજમાં ભારતીય ભાષાઓ ઉપરાંત, અંગ્રેજી, ગણિત, ઇતિહાસ, ભૂગોળ, ખગોળશાસ્ત્ર વગેરે શીખવવામાં આવતા હતા. એ કૉલેજ ઈ. સ. 1855માં પ્રેસિડન્સી કૉલેજના નામે ઓળખાઈ.
  • ઈ. સ. 1823માં એમસ્ટે કોલકાતામાં સંસ્કૃત કૉલેજ સ્થાપી હતી.
  • ઉચ્ચ શિક્ષણ માટે અને મુખ્યત્વે ભારતના શિક્ષણ માટેનો ‘મેગ્નાકાર્તા’ કહી શકાય તેવો શિક્ષણ સુધારો ઈ. સ. 1854માં ચાર્લ્સ વુડના ખરતાથી થયો.

ભારતમાં શિક્ષણ ક્ષેત્રની ‘મેગ્નાકાટ’ કહી શકાય એવો શિક્ષણનો સુધારો ઈ. સ. 1854ના વુડના ખરીતા(વર્ડ્સ ડિસ્પેચ)થી થયો. વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી નીચે પ્રમાણે ભલામણો કરવામાં આવી હતી:
1. દરેક પ્રાંતમાં યુનિવર્સિટી સ્થાપવા સ્વતંત્ર શિક્ષણખાતાની રચના કરવી.
2. સરકારી કૉલેજો અને શાળાઓની જાળવણી કરવી.
3. ખાનગી શાળાઓને સરકારી અનુદાન (ગ્રાન્ટ્સ) આપવું.
4. શિક્ષકોને તાલીમ આપવા માટે તાલીમી સંસ્થાઓ ખોલવી.
5. ધંધાદારી કે વ્યવસાયલક્ષી શિક્ષણનો વ્યાપ વધારવો.
6. દરેક તાલુકામાં પ્રાથમિક શાળાઓ અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ ખોલવી.
7. સ્ત્રી-શિક્ષણને ઉત્તેજન આપવું.
8. શિષ્યવૃત્તિઓ આપવી.

આ ઉપરાંત, વુડના ખરીતામાં ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપીય શિક્ષણ પ્રણાલી અપનાવવા જણાવ્યું હતું.

  • વુડના ખરીતા મુજબ દરેક પ્રાંતમાં શિક્ષણ નિયામકની
    નિમણૂક કરવામાં આવી અને અલગ શિક્ષણખાનું શરૂ કરવામાં આવ્યું.
  • કોલકાતા, મુંબઈ અને મદ્રાસ(ચેન્નાઈ)માં લંડન યુનિવર્સિટીના નમૂના મુજબ યુનિવર્સિટીઓની સ્થાપના થઈ.
  • ઈ. સ. 1882માં પંજાબ અને અલાહાબાદમાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ.
  • ગવર્નર જનરલ લૉર્ડ કર્ઝને ઈ. સ. 1904માં યુનિવર્સિટીને લગતો કાયદો બનાવ્યો. એ કાયદા મુજબ તેણે સેનેટમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યાને ઘટાડીને નિમાયેલા સભ્યોની સંખ્યામાં વધારો કર્યો.
  • ઈ. સ. 1916માં બનારસ હિંદુ યુનિવર્સિટી, ઈ. સ. 1920માં જામિયા મિલિયા યુનિવર્સિટી અને ઈ. સ. 1922માં શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી સ્થપાઈ.
  • ઈ. સ. 1946 સુધી દેશમાં માત્ર 16 યુનિવર્સિટીઓ જ હતી, જે ઘણી અપૂરતી હતી. ખૂબ વધારે વસ્તી ધરાવતા વિશાળ દેશમાં 16 યુનિવર્સિટીઓની સંખ્યા જોતાં એમ કહી શકાય કે અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં ઉચ્ચ શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો નહોતો.

પ્રશ્ન 8. અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં વ્યાવસાયિક શિક્ષણ ક્ષેત્રે શી પ્રગતિ થઈ હતી?

ઈ. સ. 1854ના વુડના ખરીતામાં ભારતમાં વ્યાવસાયિક શિક્ષણ શરૂ કરવાની ભલામણ કરવામાં આવી હતી. 20મી સદી દરમિયાન ભારતમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજી તથા વ્યવસાય સાથે સંકળાયેલી કેટલીક મોટી સંસ્થાઓ સ્થપાઈ હતી. તેમાં બેંગલૂરુની ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ’, કોલકાતાનું ‘બોઝ સંશોધન કેન્દ્ર’ (આંતર વિદ્યાકીય), દહેરાદૂનનું જંગલખાતા સાથે સંકળાયેલ સંશોધન કેન્દ્ર, દિલ્લીનું ‘ખેતીવાડી કેન્દ્ર’, રૂડકીનું ‘ઇજનેરી વિદ્યાને લગતું કેન્દ્ર, પૂના(પુણે)ની ‘ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ’ વગેરે સંસ્થાઓ મુખ્ય હતી.

પ્રશ્ન 9. અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં સ્ત્રી-શિક્ષણની સ્થિતિ કેવી હતી?

પ્રાચીન ભારતમાં સ્ત્રીઓ અને પુરુષોને શિક્ષણની સમાન તકો હતી. મધ્યયુગમાં સલામતીનું કારણ દર્શાવી સ્ત્રીઓને શિક્ષણ આપવાનું બંધ કરવામાં આવ્યું હતું.

ભારતમાં સ્ત્રી-શિક્ષણની શરૂઆત માર્શમેન અને તેમનાં પત્નીએ કોલકાતા પાસે આવેલ સિરામપુરમાં સ્થાપેલી કન્યાશાળાથી થઈ. ઈ. સ. 1813થી 1851 સુધીનાં વર્ષો દરમિયાન ખ્રિસ્તી કે પાદરીઓએ અને કેટલાંક શ્રીમંત કુટુંબોએ બંગાળ, મુંબઈ અને મદ્રાસ (ચેન્નઈ) પ્રાંતોમાં કન્યાશિક્ષણ માટે સંસ્થાઓ સ્થાપી હતી. 19મી સદીમાં મહાન સમાજસુધારકો રાજા રામમોહનરાય અને દયાનંદ સરસ્વતીએ સ્ત્રી-શિક્ષણની ભારપૂર્વક હિમાયત કરી હતી. પરંતુ એ સમયમાં અંગ્રેજ સરકારે સ્ત્રી-શિક્ષણની મોટા ભાગે છે ઉપેક્ષા કરી હતી.

ઈ. સ. 1849 – 1850 દરમિયાન બંગાળના અંગ્રેજ શિક્ષણશાસ્ત્રી બેથુન અને પ્રખર બ્રહ્મોસમાજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ઈ. સ. 1849માં હિંદુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરી. આ શાળાની સ્થાપનાએ ભારતમાં સ્ત્રી-શિક્ષણનો પાયો મજબૂત બનાવ્યો. ઈ. સ. 1873 સુધીમાં બ્રિટિશ ભારતમાં 1640 જેટલી કન્યાશાળાઓ હતી. એ સમયે બ્રિટિશ ભારતમાં માત્ર 4.89 % જ કન્યાઓ શાળામાં જતી હતી.

આમ, 19મી સદીમાં ભારતમાં સ્ત્રી-શિક્ષણની પ્રગતિ ખૂબ ધીમી રહી હતી.


પ્રશ્ન 10. રાજા રામમોહનરાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કે ભારતમાં શા માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરી? તેમણે શિક્ષણ માટે કયા કયા પ્રયત્નો કર્યા?

રાજા રામમોહનરાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભારતના અગ્રણી સમાજસુધારકો હતા. તેમણે જોયું કે ભારતમાં શિક્ષણનો અભાવ એ દેશની ગુલામીનું મુખ્ય કારણ છે. તેમના
મતે, જ્યાં સુધી રાષ્ટ્ર શિક્ષિત નહિ થાય ત્યાં સુધી રાષ્ટ્રનો વિકાસ થઈ શકશે નહિ. તેથી તેમણે વ્યક્તિગત અને સંસ્થાકીય રીતે તેમજ અંગ્રેજ સરકારના સહકારથી ભારતમાં પાયારૂપ શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરી.

રાજા રામમોહનરાયે ઈ. સ. 1828માં બ્રહ્મોસમાજની સ્થાપના કરી. તેમણે ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકને ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂઆત કરવા નૈતિક બળ પૂરું પાડ્યું હતું.

તેમના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો. તેમણે ? ભારતીયોને પશ્ચિમી કેળવણી લેવાનો ખાસ અનુરોધ કર્યો હતો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બ્રહ્મોસમાજના અગ્રણી નેતા હતા. તેમણે ઈ. સ. 1849 – 1850માં બંગાળમાં શાળાઓ શરૂ કરવા સક્રિય પ્રયત્નો કર્યા હતા. તેમના પ્રયત્નોથી બંગાળમાં છોકરા-છોકરીઓ માટે શાળાઓ સ્થપાઈ હતી.

પ્રશ્ન 11. મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો દર્શાવો.
                                   અથવા
ટૂંક નોંધ લખો: મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો

મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્યસંગ્રામની સાથે સાથે શિક્ષણ માટે ભગીરથ કાર્ય કર્યું હતું.
(1) તેમણે ઈ. સ. 1936માં વર્ધા શિક્ષણ યોજના શરૂ કરી હતી. શિક્ષણ અંગે સુધારાઓની ભલામણો કરવા તેમણે ડૉ. ઝાકીર હુસેનના અધ્યક્ષપદે શિક્ષણ સમિતિની રચના કરી હતી.
(2) મહાત્મા ગાંધીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા કે અક્ષરજ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી.
(3) ગાંધીજીએ પાશ્ચાત્ય શિક્ષણની સામે નઈ તાલીમ, બુનિયાદી શિક્ષણ, વર્ધા શિક્ષણ યોજના, પાયાની કેળવણી (બેઝિક એજ્યુકેશન), ઉદ્યોગશિક્ષણ વગેરે શૈક્ષણિક વિચારો અમલમાં મૂકી ભારતીય શિક્ષણ પ્રણાલીને ટકાવી રાખવા પ્રયત્નો કર્યા હતા.
(4) ગાંધીજીના મતે, પ્રચલિત શિક્ષણ વિદ્યાર્થીનું યોગ્ય જીવન ઘડતર કરવામાં અને તેને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડ્યું છે.
(5) તેઓ પાયાના શિક્ષણને સ્વાશ્રયી અને વ્યવસાયલક્ષી બનાવવા ઇચ્છતા હતા.
(6) તેઓ માનતા હતા કે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ. જેમાં વિદ્યાર્થીને વિભિન્ન વિષયોનું સામાન્ય જ્ઞાન અને ક્રમશઃ એક હુન્નર શીખવવો જોઈએ.
(7) તેઓ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાના હિમાયતી હતા.
(8) તેઓ વિદ્યાર્થીઓને હસ્તકૌશલ, સુથારીકામ, લુહારીકામ, વણાટકામ અને કાંતણ ઉદ્યોગનું શિક્ષણ આપવાના આગ્રહી હતા.

પ્રશ્ન 12. 19મી સદીમાં કયા કયા અગ્રણી સમાજસુધારકોએ સામાજિક સુધારા કરવામાં પાયાની ભૂમિકા ભજવી?

19મી સદીમાં ભારતમાં રાજા રામમોહનરાય બ્રહ્મોસમાજી અગ્રણી સમાજસુધારક હતા. તેમણે ઈ. સ. 1815માં ‘આત્મીય’
સભા’ નામની સંસ્થા સ્થાપી હતી. તેમણે ઈ. સ. 1891માં ‘સંવાદ કૌમુદી’ નામના સામયિક દ્વારા સતીપ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી હતી. રાજા રામમોહનરાયે ઈ. સ. 1828માં ‘બ્રહ્મોસમાજ’ નામની સામાજિક સંસ્થા સ્થાપી હતી. એ સંસ્થાના પ્રયત્નોના ફલસ્વરૂપે ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકે ઈ. સ. 1899માં સતીપ્રથા વિરુદ્ધ કાયદો ઘડીને તેના પર પ્રતિબંધ ફરમાવી ભારતના સદીઓ જૂના અનિષ્ટને નાબૂદ કર્યું હતું. બ્રહ્મોસમાજના પ્રયાસોને લીધે ઈ. સ. 1839માં ‘નરબલિ પ્રથા’ અને ‘બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા’ વિરુદ્ધ કાયદા ઘડવામાં આવ્યા.

પ્રખર બ્રહ્મોસમાજી નેતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સામયિક સોમપ્રકાશ’ દ્વારા વિધવા પુનર્લગ્ન માટે ભારે ઝુંબેશ ચલાવી હતી. તેમના મતે, જે સ્ત્રીઓ નાની વયે વિધવા બને છે તેઓ વિધવા તરીકે આખી જિંદગી અત્યંત વિષમ પરિસ્થિતિમાં જીવન ગુજારે તે બાબત સભ્યસમાજની નિશાની નથી. 19મી સદીના ભારતમાં વિધવાનું જીવન અત્યંત દુષ્કર ગણાતું હતું. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયત્નોથી ઈ. સ. 1856માં ગવર્નર જનરલ લૉર્ડ ડેલહાઉસીએ વિધવા પુનર્લગ્નને કાયદેસર બનાવતો કાનૂન બનાવીને – દેશના સામાજિક અનિષ્ટને નાબૂદ કર્યું.

મહાન બ્રહ્મોસમાજી નેતા કેશવચંદ્ર સેને ઈ. સ. 1870માં બાળલગ્ન વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવી હતી. તેમના મતે, બાળલગ્ન એ સમાજનું સૌથી મોટું દૂષણ છે. તે બાળકના શારીરિક અને માનસિક વિકાસને રૂંધે જ છે. આ ઉપરાંત, તે તેની શૈક્ષણિક પ્રગતિમાં પણ મોટો અવરોધ ઊભો કરનારું પરિબળ બને છે. કેશવચંદ્રના પ્રયાસોથી અંગ્રેજ સરકારે ઈ. સ. 1872માં ‘લગ્નઆયુ સંમતિ ધારો’ (Age of Consent bill) બનાવ્યો. આ ધારા અંતર્ગત 12 વર્ષથી નીચેની વયના છોકરા કે છોકરીના લગ્નને ગેરકાયદેસર ગણવામાં આવ્યું.


પ્રશ્ન 13. ભારતમાં અસ્પૃશ્યતાના કલંકને નાબૂદ કરવા માટે કોણે 3 કોણે, કયા કયા પ્રયત્નો કર્યા?
ઉત્તર:

  • ભારતમાં અસ્પૃશ્યતાના કલંકને નાબૂદ કરવા માટે મહાત્મા ગાંધીએ ખૂબ પાયાનો વિચાર કર્યો હતો. તેમણે પોતાની રચનાત્મક પ્રવૃત્તિઓમાં અનુસૂચિત જાતિના લોકોના ઉદ્ધારની પ્રવૃત્તિઓને મુખ્ય સ્થાન આપ્યું હતું. તેમણે તેમના ઉત્કર્ષને પોતાનું જીવનધ્યેય બનાવ્યું હતું. ગાંધીજીએ અનુસૂચિત જાતિના દુદાભાઈને પરિવાર સાથે સાબરમતી આશ્રમમાં વસાવ્યા હતા.
  • વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ૨ અનુસૂચિત જાતિના ઉદ્ધાર માટે સક્રિય પ્રયત્નો કર્યા હતા.
  • ડૉ. આંબેડકરે અનુસૂચિત જાતિના લોકોને સામાજિક, શૈક્ષણિક અને રાજકીય અધિકારો અપાવવા જીવન પર્યત સંઘર્ષ કર્યો હતો. તેમણે અનુસૂચિત જાતિના લોકોને મંદિરોમાં પ્રવેશ અપાવવા તેમજ ઊંચી જાતિના લોકોના પીવાના પાણીનાં સ્થળોએ પાણી પીવાના સત્યાગ્રહો કર્યા હતા.
  • મામા સાહેબ ફડકેએ ગોધરામાં અનુસૂચિત જાતિના બાળકો માટે શાળા સ્થાપી હતી.
  • પરીક્ષિતલાલ મજમુદારે અનુસૂચિત જાતિના લોકો માટે શાળાઓ અને છાત્રાલયો સ્થાપીને તેમના શૈક્ષણિક વિકાસ માટે નોંધપાત્ર કાર્ય કર્યું હતું.

પ્રશ્ન 14. ટૂંક નોંધ લખો: બાળલગ્ન

અંગ્રેજોના આગમન સમયે ભારતના દરેક સમાજમાં બાળલગ્નની કુપ્રથા પ્રવર્તતી હતી. બાળલગ્નોના પરિણામે કજોડાંની સ્થિતિમાં મોટા ભાગે સ્ત્રીઓ શોષણનો ભોગ બનતી. મહિલાઓની દુર્દશા માટે બાળલગ્નની પ્રથા જવાબદાર હતી. સ્ત્રીઓ તેમજ કેટલેક અંશે પુરુષો પણ બાળલગ્નને લીધે વિકાસથી વંચિત રહી જતા હતા. એકંદરે બાળલગ્નની કુપ્રથા અનેક પ્રકારનાં અનિષ્ટો સર્જનારી પ્રથા હતી.

ઈ. સ. 1846માં કન્યાનાં લગ્નની ઉંમર ઓછામાં ઓછી 10 વર્ષની નક્કી થયેલી હતી. બ્રહ્મોસમાજના સમર્થ નેતા કેશવચંદ્ર સેને બાળલગ્ન વિરુદ્ધ ઝુંબેશ ચલાવી હતી. તેમના પ્રયાસોથી નવેમ્બર, 1870માં ‘ઇન્ડિયન રિફોર્મ ઍસોસિયેશન’ની સ્થાપના થઈ. ઈ. સ. 1872માં બ્રહ્મ વિવાહ નિયમ બન્યા. 19 માર્ચ, 1891ના રોજ બનાવેલા ‘સંમતિ વય અધિનિયમ’ અન્વયે કન્યાનાં લગ્નની ઉંમર 10 વર્ષથી વધારીને 12 વર્ષની કરવામાં આવી. એ પછી ઈ. સ. 1930માં ‘શારદા અધિનિયમ’ અંતર્ગત કન્યાનાં લગ્નની ઉંમર 14 વર્ષની કરવામાં આવી. આઝાદી પછી દેશમાં ઈ. સ. 1949 અને ઈ. સ. 1978માં કન્યાનાં લગ્નની ઉંમર અનુક્રમે 15 વર્ષ અને 18 વર્ષની કરવામાં આવી. કન્યાનાં લગ્નની ઉંમરનો પ્રવર્તમાન કાયદા અનુસાર આજે કન્યાનાં લગ્ન કરવામાં આવે છે. પશ્ચિમી સંસ્કૃતિની અસર, સંયુક્ત પરિવારનું વિઘટન અને શિક્ષણના ફેલાવાથી દેશમાંથી બાળલગ્નની કુપ્રથા કાનૂની રીતે બંધ થઈ છે.

પ્રશ્ન 15. કન્યા-કેળવણીની જરૂરિયાત જણાવી અંગ્રેજ સરકારે ? કન્યા-કેળવણી માટે કરેલા પ્રયત્નો જણાવો.

મધ્યયુગ દરમિયાન ભારતમાં સલામતીનું કારણ દર્શાવી સ્ત્રીઓને શિક્ષણ આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. સ્ત્રીઓને શિક્ષણથી વંચિત રાખવાનાં માઠાં પરિણામો દેશમાં જોવા મળ્યાં હતાં. સમાજનું લગભગ અડધું અંગ શિક્ષણથી વંચિત રહી જાય એ સમાજના વિકાસ માટે ખરેખર, ઘાતક પૂરવાર થાય. બાળકના જીવનઘડતરમાં શિક્ષિત માતાનું યોગદાન અમૂલ્ય છે. એક શિક્ષિત માતા બાળક માટે સો શિક્ષકોની ગરજ સારી શકે છે. જો સ્ત્રીઓને શિક્ષણ ન મળે તો ભવિષ્યનો સમાજ પાંગળો બને. આધુનિક સમયમાં સ્ત્રીશિક્ષણ ખૂબ જ અનિવાર્ય છે. મહિલાઓને સ્વાવલંબી બનાવવા તેમજ કુટુંબની આર્થિક બાબતોમાં સહભાગી બનાવવા સ્ત્રીઓને શિક્ષણ આપવું જરૂરી છે.

બ્રિટિશ પાર્લમેન્ટ ઈ. સ. 1853માં ભારતમાં શિક્ષણક્ષેત્રે સુધારા સૂચવવા એક સમિતિની રચના કરી હતી. એ સમિતિના અહેવાલ પરથી બોર્ડ ઑફ કન્ટ્રોલના પ્રમુખ ચાર્લ્સ વુડે જુલાઈ, 1954માં હિંદ સરકાર પર કેળવણી અંગેના સુધારાઓની ભલામણ કરતો ખરીતો મોકલ્યો. એ ખરતા પછી ભારતમાં શિક્ષણની વ્યવસ્થિત વિચારણા શરૂ થઈ. ચાલ્સ વડે પોતાના ખરતામાં ગવર્નર જનરલને સૂચવ્યું હતું કે ભારતમાં સ્ત્રીશિક્ષણને ઉત્તેજન મળે તેવાં પગલાં ભરવાં. તેમાં ગ્રાન્ટ ઇન એઇડ પદ્ધતિ મુજબ કન્યાશાળાઓ માટેની શિક્ષણ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

એ સમયનો ગવર્નર જનરલ લૉર્ડ ડેલહાઉસી સ્ત્રીશિક્ષણ અંગે હકારાત્મક વિચારો ધરાવતો હતો. તેણે કાઉન્સિલ ફૉર એજ્યુકેશનને માર્ગદર્શન આપતાં જાહેર કર્યું હતું કે “ઈ. સ. 1854ના વુડના ખરીતામાં શિક્ષણની જે જવાબદારી છે તે સરકારે સ્વીકારવી જોઈએ.” વુડના ખરતાથી સ્ત્રી-કેળવણીના ખર્ચમાં ભારે વધારો કરવાનું નક્કી થયું. પરિણામે ભારતના જુદા જુદા ભાગોમાં નવી કન્યાશાળાઓ સ્થાપવામાં આવી.


પ્રશ્ન 16. ટૂંક નોંધ લખો સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી, 1863માં થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું. સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ પરમહંસના પરમ શિષ્ય હતા. તેમણે પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસની ઉદાર ધર્મભાવના અને સેવાભાવનાનો પ્રચાર કરવા માટે ઈ. સ. 1897માં ‘રામકૃષ્ણ મિશન’ની સ્થાપના કરી હતી. ઈ. સ. 1893માં યુ.એસ.એ.ના શિકાગો શહેરમાં ભરાયેલ સર્વધર્મ સંમેલનની વિશ્વધર્મ પરિષદમાં તેમણે ભારતના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી. અહીં તેમણે વિશ્વધર્મ પરિષદના સભ્યોને ‘ભાઈઓ અને બહેનો’ (Brothers and Sisters) શબ્દો દ્વારા સંબોધન કરીને મુગ્ધ કર્યા હતા.

સ્વામી વિવેકાનંદનો ઉપદેશ (1) સ્વામી વિવેકાનંદે સમાજસેવા અને સમાજસુધારણાના ઉપદેશ દ્વારા તે સમયનાં પ્રચલિત સામાજિક દૂષણો અને ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો હતો. (2) તેમના મતે, જે ધર્મ કે ઈશ્વર વિધવાનાં આંસુ લૂછી શકે નહિ કે નિરાધાર બાળકોનાં મોંમાં રોટીનો ટુકડો મૂકી શકે નહિ તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. (3) તેઓ કહેતા કે, “પહેલાં અન્ન પછી ધર્મ.” (4) તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરનાં દર્શન કરતા. તેથી તેઓ કહેતા હતા કે, “માનવસેવા એ જ પ્રભુસેવા છે.” (Service to mankind is service to God.) (5) તેઓ યુવાનોને કહેતા કે, GSEB Class 8 Social Science Important Questions Chapter 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા 6 GSEB Class 8 Social Science Important Questions Chapter 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા 7 “ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.”

સર્વોચ્ચ અદાલતે કયા કયા ચુકાદાઓમાં નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કર્યું છે? શા માટે?
ઉત્તર:
ભારતના બંધારણમાં ન્યાયતંત્રની સ્વાયત્તતાનું રક્ષણ કરવામાં આવ્યું છે. એ અધિકારની રૂએ ભારતની સર્વોચ્ચ અદાલતે તેમજ રાજ્યોની વડી અદાલતોએ શકવર્તી ચુકાદા આપી નાગરિકોના અધિકારોનું રક્ષણ કર્યું છે તથા ન્યાયિક સમાજવ્યવસ્થાના નિર્માણમાં યોગદાન આપ્યું છે.

ભારતમાં બહુચર્ચિત કેશવાનંદ ભારતીના (કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરલ રાજ્ય) ચુકાદામાં સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેચે બહુમતીથી આપેલા ચુકાદામાં નાગરિકોના મૂળભૂત અધિકારોહકોના રક્ષણની વિગતવાર ચર્ચા કરી હતી. જસ્ટીસ પુટ્ટાસ્વામી વિરુદ્ધ ભારત સરકારના કેસ ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નાગરિકોના ગોપનીયતાના અધિકારોનું-હકોનું રક્ષણ કરવા જણાવ્યું હતું, કારણ કે ભારતનું બંધારણ નાગરિકોને ગોપનીયતાનો અધિકાર આપે છે.

Post a Comment

0 Comments